________________
નીતિશાસ્ત્ર પ્રવેશ જેવા પ્રત્યક્ષ પ્રમાણને જ માન્ય સમજે છે, પણ સામાન્ય માણસો પ્રત્યક્ષ અને અનુમાન ઉભયને ગ્રાહ્ય ગણે છે. “આપ્ત વાક્ય એટલે શ્રતિ સ્મૃત્યાદિ આદરણીય ગ્રંથ કિંધા સદ્ગુરુ, બ્રહ્મવેત્તાશાસ્ત્રજ્ઞ વગેરે આદરણીય જનનાં વચનોને પ્રમાણ માનવાનું કેટલાકને પસંદ હોય છે અને કેટલાકને પસંદ નથી હતું. એ ગ્રે હ્યતા વિષે વાદવિવાદ થઈ નિર્ણય થાય છે એટલે પુનઃ આપણે મૂળ વાદ તરફ વળીએ છીએ અને માન્ય થયેલા પ્રમાણાનુસાર વાગયુદ્ધ કરી અન્ય પક્ષને હરાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
પરંતુ અતિ ચિકિત્સક જન એથી પણ ઉડે જાય છે. તેમનામાં “સત્ય” એટલે એ વિષે જ વાદનો આરંભ થાય છે. સામાન્ય માણસ સમજે છે કે, “સત્ય” એટલે ‘વતું' જેવી હોય તેવું જ્ઞાન અને અસત્ય એટલે તેથી વિપરીત જ્ઞાન. અર્થાત વસ્તુસ્થિતિને અનુસરતું – અનુરૂપ જે હોય તે સત્યજ્ઞાન અને બાકીનું અસત્યજ્ઞાન. પરંતુ “વસ્તુસ્થિતિને અનુસરતું – અનુરૂપ' એટલે શું? આપણે કહીશું કે, “વસ્તુ' જેવી હોય તેવું જ માનસિક પ્રતિબિંબ કિંવા ચિત્ર જે વિચારમાં હોય તે વિચાર સત્ય, અને અન્ય વિચાર અસત્ય. દાખલા તરીકે રજજુદર્શન થતાં જે તેનું યથાર્થ પ્રતિબિંબ આપણા મનમાં હોય તે આપણું જ્ઞાન સત્ય સમજવું અને તેના બદલે સર્પ સમજીએ તે – રજુના બદલે સપનું ચિત્ર ચક્ષુ સમીપ ઊભું રહે તે – તે અજ્ઞાન સમજવું. એકંદરે વસ્તુના યથાર્થ – અનુરૂપ – પ્રતિબિંબાત્મક જ્ઞાનને આપણે સત્ય કહીએ છીએ. પરંતુ એ ઉત્તર પણ વિશેષ સમાધાનકારક જણાતો નથી. કારણકે, પ્રતિબિંબ,” “ચિત્ર” સાકાર વસ્તુનું હોય છે ત્યારે માનસિક વસ્તુ એટલે વિચાર, કલ્પના, મનોવિકાર વગેરે નિરાકાર હોય છે. આવી માનસિક વસ્તુ કે સંબંધનું પ્રતિબિંબ બહુધા કલ્પનાતીત હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, ચંદ્ર, કમંડલ, રજજુ વગેરે પ્રત્યક્ષ અને સાકાર વસ્તુનું પ્રતિબિંબ કલ્પનાગમ્ય હોવાથી તદનુરૂપ જે જ્ઞાન તે સત્ય” એ વાક્યનો અર્થ સહેલું છે. પરંતુ “શક્તિ, કારણ અભાવ, જ્ઞાન' જેવી અમૂર્ત વસ્તુનું ચિત્ર ચક્ષુ સમીપ ખડું થતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org