________________
પરિશિષ્ટ ૨ સત્ય સાધન કે સાધ્ય? કોઈ પણ વાદગ્રસ્ત પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, આપણે કહીએ છીએ કે, અમારી વાત સાચી અને અન્યની ટી; અને એ અન્યને પસંદ પડતું નહિ હોવાથી વાદવિવાદનો આરંભ થાય છે. પરંતુ “સત્ય એટલે શું એ વિષે વાદ થશે કિંવા મતભેદ હોઈ શકશે એમ સહસા આપણને લાગતું નથી. આપણે સમજીએ છીએ કે, સત્ય એટલે શું એ ખુલ્લું છે, સર્વને સમજાય તેવું છે અને આપણું પ્રતિપક્ષી પણ તેમજ સમજે છે. વાદ માત્ર કેનો પક્ષ સત્ય એટલે જ રહે છે હિ સત્યારા ધર્મ એ સૂત્રમાં કહેલો સત્યનો મહિમા ઉભય પક્ષને માન્ય હોય છે અને પ્રત્યેક પક્ષ પ્રતિપાદન કરે છે કે પોતાનું કથન સત્યાનુસાર છે. એકંદરે સત્ય એ સુબોધ, થિર, નિશ્ચિત વસ્તુ છે એવી આપણું સામાન્યતઃ સમજ હોય છે અને એ વાત ગૃહીત ગણીને જ આપણે વાદનો આરંભ કરીએ છીએ. પછી વાદ થતાં થતાં બહુધા એવો પ્રસંગ આવે છે કે, આપણા કથનના સમર્થનાર્થે આપણે જે પ્રમાણ આપીએ છીએ તે પ્રતિપક્ષને માન્ય થતાં નથી કિંવા પ્રતિપક્ષનાં આપણને માન્ય થતાં નથી. આથી પછી કયાં પ્રમાણ માન્ય કરવાં એ વિષે ઊહાપોહ થાય છે. ચાર્વાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org