________________
નીતિશાસ્ત્રપ્રવેશ • સ્વાતંત્ર્ય કેમ આપ્યું?' જવાબમાં ઈશ્વર કહે છે કે, “ભલા માણસ, તને જન્મ આપતી વખતે મેં ગાઈ બજાવીને જણાવ્યું હતું કે, સન્માર્ગે ચાલીશ તો અમુક ફળ મળશે અને કુમાર્ગે ચાલીશ તે અમુક ફળ મળશે. આ વાત સારી રીતે ધ્યાનમાં રાખીને તારે જે માર્ગે જવું હોય તે માર્ગે જા. પાછળથી તકરાર ચાલશે નહિ. તે વખતે તેં એ બધી શરત સ્વીકારી હતી અને આજે મારા પર કૂદે છે?' મહારોગી કહે છે, “ગમે તેટલું ગાઈબજાવીને તે કહ્યું હશે પણ હું ઈચ્છા સ્વાતંત્ર્યને દુરુપયોગ કરીશ એ વાત તારા જાણવામાં છતાં તે મને ઉત્પન્ન જ કેમ કર્યો?” ઈશ્વર આ વાતને શો ઉત્તર આપી શકે છે તે આધુનિક વેદાંતીઓને પૂછવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org