SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ વૈષય-નૈશ્ય-પ્રસંગાત” કરવા લાગે છે. તેમને પાપાચરણને જે સત્ત્વ જેનાર પર નથી પડતો કે? ઠીક, એવાઓની વાત જવા દે. ભીખ માગીને અથવા ચોરી કરી પેટ ભરનાર ગરીબ સ્ત્રીનાં બાળકોની નીતિ પછી સારી બનવાનો સંભવ હોય છે કે? પણ ઈશ્વરે જે તેમને એવાં માતાપિતાની સંગતમાં રાખ્યાં ન હતા અને તેમને જન્મતઃ ભીખ માગવાની તથા ચોરી કરવાની ગળથૂથી પાઈ ન હોત તે કદાચિત તેમની નીતિ બગડી ન હેત. ખરાબ પરિસ્થિતિમાં ઈશ્વરે જન્મ આપ્યાથી હજારો બાળક બગડવાં છે એ જે જાણે છે તે કદી પણ નહિ કહે કે, ઈશ્વરને નીતિની દરકાર છે. ઉત્તર: તમારી શંકા બરાબર છે; પણ એ વિષે કહી શકાશે કે, એવાં દૃષ્ટાંત અપવાદાત્મક છે. એકંદરે જોતાં જગતમાં ન્યાય, સુખ, સદાચાર વગેરે વ્યવસ્થિત છે. અપવાદાત્મક બાબતની ભાંજગડ કરવામાં અર્થ નથી. જગત જે ઘણે અંશે ખરાબ હોત તો જગતમાં ખરાબ વાત કેમ થાય છે, એ પ્રશ્ન જ ન થાત. તેના સ્થાને “જગતમાં” અપવાદ તરીકે જે સારી વાતો જણાય છે તેની ઉપપત્તિ લગાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોત. 2441ci Problem of Evil 2 7412 Problem of Good ઉપસ્થિત થાત. સુપ્રસિદ્ધ કવિ બાબુ રવીન્દ્રનાથ ટાગોરે એક માસિકમાં એ જ પ્રશ્ન વિષે લેખ લખ્યો છે, તેમાં તેમણે સુંદર દષ્ટાંતો આપી દર્શાવી આપ્યું છે કે, એકંદરે જગત ઘણું જ સારું છે. ઉપર ઉપરથી જેનારને એ ખરાબ દેખાય છે; પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારને પ્રત્યેક ખરાબ બાબતમાં સુધ્ધાં ઈશ્વરનો કંઈ પણ હેતુ હશે, એ તત્ત્વ સમજાતું જાય છે. પ્રશ્ન : હું એમ નથી કહેતો કે જગતમાં સર્વત્ર દુઃખ ભરેલું છે, પણ તેની સાથે સુખનું પૂર પણ વહેતું નથી. કંઈક સુખ અને કંઈક દુઃખ – પુષ્કળ સુખ અને થોડું દુઃખ એમ કહેવું હોય તો એમ કહે. દુઃખ અધિક હોત તે પ્રત્યેકે આત્મહત્યા કરી હોત; પણ થોડુંયે દુઃખ શા માટે? અને એ દુઃખ સજનના ભાગમાં જ કેમ આવે છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy