________________
૪૩૮
નીતિશાસ્ત્ર પ્રવેશ છે તે યથાર્થ છે; કેમકે ચર્મચક્ષુથી જ જોનારને જગતને ભાગ નજરે પડતું નથી; એટલું જ નહિ પણ તે “છે” એટલું પણ તે સમજી શકતો નથી. નીતિશાસ્ત્રનાં ચક્ષુ આપણી સ્વાભાવિક સદભિચની દૃષ્ટિ અધિક સૂમ અને વ્યાપક બનાવે છે. પરંતુ ચક્ષુ ગમે તેટલાં ઉત્તમ હોય તદપિ રસ્તે ચાલવા માટે પગની આવશ્યકતા રહે છે જ, તે પ્રમાણે નીતિશાસ્ત્ર સંસારના ગૂઢ સ્થળને ગમે તેટલું સુપ્રકાશિત કરતું હોય તે પણ સવાસના, સુશિક્ષણ, સસંગતિ વગેરે પ્રવર્તક કારણના અભાવે એ પ્રકાશ વૃથા જવાનો સંભવ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org