________________
૧૫
પૂર્વકથન કઈ શા માટે ત્યાજ્ય છે. અર્થાત સામાન્ય નજરે જે આનુષંગિક કે ગ્રાહ્ય અથવા નિત્ય જણાય તે શાસ્ત્રોને કદાચ તેવાં નહિ જણાય. અયોગ્યનો નાશ કરવા અને યોગ્યનું સ્થાપન કરવા તો શાસ્ત્રને અવતાર છે. પણ એ દષ્ટિએ શાસ્ત્રનું એક અંગ જેકે વિઘાતક સ્વરૂપનું હશે તો પણ ગ્યતાને નવો મહેલ બાંધવા માટે એ વિધાતક કાર્ય કરવાની તેને શિર અનિવાર્ય ફરજ રહેલી છે. અસ્તુ. આ પ્રશ્નને અધિક સવિસ્તર વિચાર આગળ એક પ્રકરણમાં કર્યો છે, તેથી તેની અહીં ચર્ચા કરી પુનરુક્તિ કરવાની જરૂર નથી.
કેટલાક કહેશે કે વળી તમે આ નીતિશાસ્ત્રનું શું તોફાન જગાવ્યું છે? સારું શું અને ખોટું શું તે વિચાર કરવાની તકલીફ લીધા વગર અમારું મન અથવા વિવેકબુદ્ધિ જાણી શકે છે. ખરું બેટું ઠરાવવામાં શાસ્ત્રની શી જરૂર છે? વાત ઠીક છે, પરંતુ પ્રત્યેક શાસ્ત્ર સંબંધી એવો જ આક્ષેપ થઈ શકશે. વ્યાકરણને અભ્યાસ નહિ કરીએ તે તેથી આપણે શુદ્ધ બોલી શકીશું નહિ એમ કહી શકાશે નહિ; અથવા આપણે વ્યવહાર કંઈ અટકવાનું નથી. શુદ્ધ કેમ બેલિવું અને લખવું એ છોકરાં પણ સમજી શકે છે તે પછી મેટા માણસોને વ્યાકરણની શી જરૂર છે? તેવી જ રીતે આપણી ભૂખ મટી છે કે નહિ એ આપણે આપોઆપ સમજી શકીએ છીએ, શું ખાવાથી શું થશે તે પણ અનુભવથી આપણે જાણીએ છીએ, તે પછી અમુક વખતે અમુક ખાવું અને અમુક નહિ ખાવું વગેરે વાત કહેનાર વૈદ્યકશાસ્ત્રની શી જરૂર છે ? કહેવાનું એટલું જ છે કે, આવા પ્રકારની વાતે બાળકબુદ્ધિની છે. શાસ્ત્ર વગર કોઈનું અટકી પડતું ન હોય તો પણ શાસ્ત્ર જ્ઞાનને નિશ્ચયામક, વ્યવસ્થિત અને સુસંબદ્ધ બનાવે છે, માટે તેને વંદનીય ગણવું જોઈએ. બીજું એ છે કે, સારું નરસું શું છે તે તત્કાળ મન કહે છે એ વાત જ બેટી છે. આપણું મન ઘણી વખત આ પ્રશ્ન વિષે ગોટાળામાં પડે છે તેથી જ આ બધી પંચાત છે. માણસ જે પશુ જેવો હોત, તો તેને નીતિશાસ્ત્રની જરૂર ન હતી; અથવા તે મુક્ત હોત તે તેને જરૂર જણાઈ ન હેત; પરંતુ મનુષ્ય પશુ નથી તેમ મુક્ત નથી. પશુને નીતિ – અનીતિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org