________________
નીતિશાસ્ત્રપ્રવેશ
માન્યાતા કે વિચાર કેવળ ત્યાજ્ય છે. પૂર્ણજ્ઞાનને પિશાક જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આદરણીય જ છે; પણ તેની પ્રાપ્તિ થતા સુધી નગ્ન રહેવાને સ્થાને ગમે તેવાં વસ્ત્ર ધારણ કરવાં એ જ યોગ્ય છે. પહાડની બીજી બાજુએ કંઈ જોઈ શકાતું નથી, તેથી શું કેઈએ પોતાનાં નેત્ર ફાડી નાખ્યાં છે ?
સામાન્ય જનની નીતિદષ્ટિ સ્થિતપ્રજ્ઞ સમાન વિશાળ ન હોય, કે સૂક્ષ્મ ન હોય માટે નીતિદષ્ટિએ અંધ બનવું એ શાસ્ત્ર ક્યાંથી આવ્યું? હા, જેમની ધર્મગ્રંથ કે સત્પુરુષ પર એટલી પ્રબળ આસ્થા હોય – જેમને પિતાનાં ચક્ષુ મીંચી દઈ તેમની નજરે જેવાને હરક્ત જણાતી ન હોય – તેમણે ખુશીથી એ માર્ગનું અવલંબન કરવું; પણ જેમની શ્રદ્ધા એટલી નિઃસીમ પંક્તિની ન હોય, તેમણે પિતાની દષ્ટિ સંકુચિત છે એવી સમજથી નિરાશ બનવાને બદલે, નમ્રતાથી પણ નિશ્ચયપૂર્વક સ્વચક્ષુ ખુલ્લાં રાખી તરફ લક્ષ આપી ક્રમણ કરવું એ જ શ્રેયસ્કર માર્ગ છે.
કેટલાક કહે છે કે, નીતિશાસ્ત્રવિષયક ઊંડી ચર્ચા કરવાની શી જરૂર છે? તેનાથી શો લાભ છે? કેટલાક આક્ષેપ કરે છે કે, એવા પ્રકારની ચર્ચાથી પ્રચલિત રૂઢિ સંબંધે અનાદર ઉભવે છે અને માણસ અધાર્મિક – નાસ્તિક એટલું જ નહિ પણ અનીતિમાન બનવાનો સંભવ રહે છે. નૈતિક ઊહાપોહથી કેટલીક રૂઢ થયેલી કલ્પનાને ઉછેદ થાય છે એ વાત ખોટી નથી; પણ વાયુના વહનથી વૃક્ષનાં પાકી ગયેલાં પાન ખરી પડે છે અથવા સડી ગયેલી ડાળીઓ તૂટી પડે છે તેથી આપણે એમ નથી કહેતા કે વાયુવ્યવહાર બંધ થવો જોઈએ. એ જ ન્યાય નૈતિક વિષયની ચર્ચાને લાગુ પાડવો જોઈએ. કોઈ પણ શાસ્ત્રનો વિચાર કરશો તો સમજાશે કે, તેનાથી કેટલીક રૂઢિ અને માન્યતા સંકુચિત અથવા મિથ્યા ઠરે છે જ. સામાન્ય માણસેના વિચાર સુસંબદ્ધ, ન્યાયશુદ્ધ કે પકવ હતા નથી તેથી તે શાસ્ત્રની આવશ્યકતા છે. શાસ્ત્ર ચાળણી જેવાં છે. તે જે તે વિષયની સામાન્ય માન્યતા ચાળીને ખોટી બાબતો કાંકરાની માફક ટાળી નાખે છે. શાસ્ત્ર ઉપરથી સમજાય છે કે, કઈ વાત અનુષગિક અને કઈ આવશ્યક છે, કઈ ગૌણ અને કઈ મુખ્ય છે, કઈ નિત્ય અને કઈ અનિત્ય છે, કઈ શા સાર ગ્રાહ્ય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org