________________
પૂર્વકથન સમાજ કે માણસનું જેમ જેમ આત્મવિકસન થતું જશે, તેમ તેમ તેના નૈતિક વિચારોનો પણ વિકાસ થતો જવાને જ. પ્રાચીનકાળના જંગલી માણસને સ્ત્રીને ઝૂડવામાં, માંસ ખાવામાં કે શત્રુનું મસ્તક છેદવામાં વિશેષ કંઈ લાગતું નહતું, પણ હાલના સુસંસ્કૃત માણસને એ સર્વ નિંઘ લાગે છે. મહાભારતના કેટલાક વીરનારને ૨૫ન્ય કુટુંબની જ બાળાને બળાત્કારથી લઈ જવામાં અને તેને પત્ની પદે સ્થાપવામાં કંઈ અયોગ્ય જણાતું નહતું; પણ હાલમાં એ વાત તિરસ્કારભરી લાગે છે. માલ વેચનારે આફતમાં હોય છે ત્યારે તેને માલ યોગ્ય મૂલ્ય કરતાં ઓછા મૂલ્ય લેવામાં આપણને કંઈ વિશેષ લાગતું નથી; પણ ભવિષ્યમાં કદાચિત એ ગીંણીય ગણશે. મજૂર અથવા નોકર માંદગીમાં પડતાં તેને નોકરીના દિવસોને પગાર આપી નોકરી પરથી દૂર કરી દેનાર ઘણું સંગ્રહસ્થ હાલ દૃષ્ટિએ પડે છે; પણ ભવિષ્યમાં કદાચ એ અનીતિમાન ગણાશે. ૯ આપણને હરીફાઈના તત્ત્વ પર વ્યાપાર ચલાવવામાં કંઈ વિશેષ અનુચિત લાગતું નથી; પણ હવે પછી આવનાર યુગમાં હરીફાઈનું તત્ત્વ કદાચ નિંદ્ય મનાઈ સર્વને લાગશે કે સહકારના તત્વ પર ચાલવું જોઈએ.
આ ઉપરથી જે કે એમ જણાય છે કે, જેનો આત્મવિકાસ પૂણ સ્થાએ પહોંચ્યો નથી, તેણે નિયત કરેલાં નીતિતત્ત્વ કેટલાક અંશે અનિત્ય છે; તે પણ એથી એવું સિદ્ધ નથી થતું કે, તેણે આ દિશામાં પ્રયત્ન કરે નહિ. પ્રત્યેક સમાજના સાધારણ સંસ્કારી માણસે આ વિષય સંબંધી વિચાર કરવાની ખાસ અગત્ય છે. કેમકે તેમ ન બને તે તેની નૈતિક શક્તિ અંધત્વ, અનિશ્ચિતતા અને અવિવેકને પ્રાપ્ત થાય તેમ છે. માણસનું આત્મવિકસન થયેલું ન હોય તો પણ, તેણે સ્વશક્તિ અનુસાર યથાયોગ્ય વિચાર કરે જોઈએ; શાસ્ત્ર, સાધુસંત, કવિ અને અન્ય શાસ્ત્રકારો જે કંઈ કહે તેને મર્મ સમજવા શ્રમ લેવો જોઈએ અને પિતાના મનને જે માર્ગ શ્રેયસ્કર જણાય તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કરે જોઈએ. કુબેર ભંડારીનું ધન પાસે ન હોય તેથી ખીસ્સામાં પડેલા પૈસાને ફેંકી ન દેવાય; તેમ જ પરિપૂર્ણ જ્ઞાન ન હોય માટે જ્ઞાનનો પણ ઉપયોગ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org