________________
૧૨
નીતિશાસ્ત્ર પ્રવેશ અધિકાર નથી. તે અધિકાર છે તેને જ છે કે જે આત્મા એટલે શું, તેનાં અંગ કર્યા છે, તેમનું એકબીજાના પ્રમાણમાં ઓછુંવતું મહત્ત્વ શાથી છે, એ શ્રવણ, મનન, નિદિધ્યાસનથી સમજે છે; જે આત્મનિગ્રહ કરી શકે છે, જે મોહમત્સાદિને ભેગા થઈ પડત નથી અને જેની દૃષ્ટિ પ્રત્યેક પ્રકારના શાસ્ત્રજ્ઞાનથી, તાત્ત્વિક ચિંતનથી અને વ્યાવહારિક અનુભવથી એક રીતે વિશાળ તથા સુક્ષ્મ થયેલી છે. એવા જ માણસને નૈતિક વિષય સંબંધી નિશ્ચયામક અભિપ્રાય આપવાનો અધિકાર છે.
એ તે પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, આવા માણસે મળી આવવા અતિ દુર્ઘટ છે. પ્રત્યેક ધર્મમાં એવા કેટલાક માણસે હોય છે કે જેમને પોતપોતાના ધર્મગ્રંથ – દાખલા તરીકે બાઈબલ, કુરાને, વેદ – પ્રત્યક્ષ પ્રભુએ નહિ પણ ઉપર નિર્દિષ્ટ કરેલી અસાધારણ અને ઈશ્વર માનેલી વ્યક્તિએ નિર્માણ કરેલા છે એમ લાગે છે. આવી શ્રદ્ધાવાળા માણસોને પોતપોતાના ધમગ્રંથના વચનની બહાર જવાને વિશેષ કારણ નથી. વિશેષ કહેવાનું કારણ એટલું જ છે કે, પોતાનું કર્તવ્ય શું છે અને શું નથી એ વિષે શાસ્ત્રવચનનો નિર્ણય એવા માણસોને છે કે સામાન્ય રીતે ઉપયોગી હોય છે, તે પણ કેટલેક પ્રસંગે શાસ્ત્રવચન સંદિગ્ધ અને પરસ્પર વિરુદ્ધ જણાતાં હોવાથી કેટલીક વાર અંતે તેમને આત્મનિરીક્ષણનો આધાર લેવો પડે છે. વિશિષ્ટ શાસ્ત્ર કે વિશિષ્ટ ગુરુના કથન વિષે જેમના મનમાં સંશય જ ઉદ્દભવતો ન હોય, તેમની વાત જુદી છે. તેમને સામાન્યતઃ આત્મનિરીક્ષણ કરી નીતિતત્ત્વ નક્કી કરવાની જરૂર નથી. પણ ઘણાની શાસ્ત્ર કે સાધુસંત પર એટલી નિસીમ ભક્તિ હોતી નથી. જેના વચન વિષે કદી પણ મનમાં સંશય ઉદ્ભવે નહિ, તે સગુરુ મળતું હોય તે ઘણું તેને ઈચ્છે છે; પણ એવા સદૂગુરુ પટેલ તલાટીની માફક ગામેગામ હોતા નથી. તે તે હીરા માણેકની માફક ક્વચિત કઈ સ્થળે ઝળકે છે. વળી એ સદ્દગુરુનું સત્ત્વ ઠરાવવાનું કામ આત્મનિરીક્ષણને જ માથે હોય છે. તેથી સમાજના ઘણાખરા માણસોને આત્મનિરીક્ષણના માર્ગનું અવલંબન કર્યું જ છૂટકે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org