________________
નીતિશાસ્ત્રાપ્રવેશ તેમની નીતિમત્તા ઊતરતી પંક્તિની કરી શકશે ખરી કે? સ્વામીભક્તિથી રણાંગણમાં પ્રાણ ત્યજનાર સ્વાર્થ ત્યાગ વિષે વ્યાખ્યાન આપી શકતા નહિ હોય છે તેથી હું તેનો સ્વાર્થ ત્યાગ સ્વાર્થ ત્યાગના સ્થાનેથી પદચુત બને છે ?
નૈતિક ઊહાપોહની પસંદગી “નીતિ ઠંડી બની છે' એમ દર્શાવે છે? આ એક મનોરંજક પ્રશ્ન છે. કર્મ કરવામાં રત થયેલા કિંવા ઉત્સાહયુક્ત રહેતા માણસે તદ્વિષયક સૂક્ષ્મ અને વિદ્વત્તા પરિપૂર્ણ શાબ્દિક ઊહાપોહની ભાંજગડમાં પડતા નથી. કામાંધ માણસ “કામ”ની યુક્ત અયુક્તતાને વિચાર કરતા નથી, ક્રિકેટ ખેલનાર દડો અમુક રીતે મારવા છતાં તે અમુક દિશાએ કેમ જાય છે તેને વિચાર કરતો નથી. એથી ઊલટું પ્રેમકાવ્ય રચનાર કવિ કાવ્ય કરતી વખતે પણ કામાંધ નથી હોતે. ક્રિકેટ શીખવનાર માસ્તરને ક્રિકેટ વિષયક ઉત્સાહ ટાઢ પડેલો હોય છે. આ લોકોની માફક જ નીતિતત્ત્વના ઝીણા તંતુ ખેંચનારનો નીતિવિષયક ઉત્સાહ ટાઢે પડેલે હોય છે એમ કઈ કહે તો તે પણ થોડુંક ખરું છે. પણ “ડુંક જ એ ધ્યાનમાં રાખવું જોઈએ. અન્ય મહત્ત્વનાં કર્તવ્યને દયાજનક આર્તનાદ ઘૂમી રહે છે તેવા પ્રસંગે કોઈ માણસ નીતિચર્ચાના વ્યસનને વશ બને છે તે તેટલા વખત પૂરતી જ તેની નીતિ ઠંડી પડી છે એમ સમજવું. એ સિવાયના પ્રસંગે નહિ.
નીતિવિષયક અતિવિચારથી માણસ બે પ્રકારે વ્યવહારમાં નિરુપયોગી બને છે. એક તે તેની સદસદ્વિવેકબુદ્ધિ એટલી નાજુક બને છે કે, આ જગતના કઠોર વ્યવહારનો સ્પર્શ દૂરથી પણ તે સહન કરી શકતો નથી. પગ નીચે કીટક કે કીડી પણ ન ચગદાય તે સારુ જમીન તરફ ઝીણી નજર રાખી ચાલનારને માટે મોટર, ટ્રામ, સાયકલ, ઘોડાગાડી વગેરે ધમાલમાંથી પસાર થવાનું અશક્ય બને છે તેવું જ અતિ સૂક્ષ્મદષ્ટિથી નીતિવિચાર કરનારને માટે વ્યવહારમાં બને છે.
નીતિશાસ્ત્રનાં સૂક્ષ્મતત્વ તારલા જેવાં છે. આ તમ પ્રચુર સંસારમાં એ તારલાના પ્રકાશનો ઘણો ઉપયોગ છે; પણ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org