________________
૪૩૫
નીતિશાસ્ત્રને ઉપગ વળી અન્ય વાત એ છે કે, વ્યાકરણ શીખવાથી જેકે ભાષા પ્રભુત્વ પ્રાપ્ત થયું ન હોય કિંવા સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી કવિત્વની ફૂર્તિ છે કે નહિ ઉદ્દભવતી હોય, તો પણ જેમ એ શાસ્ત્ર નિરુપયોગી ઠરી શકતાં નથી, તે જ પ્રમાણે નીતિશાસ્ત્ર શીખવાથી માણસનું શીલ બદલાઈ તે માધુસંતની ૫ ક્તિમાં બેસવાને પાત્ર થઈ શકતો નહિ હોય તે પણ એ શાસ્ત્ર નિરુપયોગી થતું નથી. કોઈને પણ કબૂલ કરવું પડશે કે નૈતિક આચરણને જ્ઞાનની મદદ મળે છે. એમાં કઈ મા નથી કે એ સહાય મર્યાદિત સ્વરૂપની છે, પણ એટલું તો નિર્વિવાદિત છે કે સહાય તો મળે છે જ.
હા, એ કંઈ ખોટું નથી કે, અત્યંત નીતિવિચારથી માણસ વ્યવહારમાં કિંચિત નાલાયક બને છે. કેટલીક વખત તેનું મન અધિક કઠોર પણ બને છે. આપણા દેશના જૂની રીતના વેદાંતી, હરિદાસ પુરાણી વગેરે કિ વા નવીન રીતના વક્તા, લેખક વગેરેમાંના કેટલાકના વતન તરફ તાં એવું લાગે છે કે, જાણે જ્ઞાનાગ્નિની ઉષ્ણતાથી કોમલ પ્રેમ અને સાત્ત્વિકતાના ઝરે સુકાઈ જાય છે ! એનું એક કારણ એવું છે કે, તેમન જે જ્ઞાન હોય છે તે ખરું નથી હોતું; શાબ્દિક હોય છે. બીજું એ કે, તેમના હૃદયમાં ભીનાશ પ્રથમથી જ ઓછી હોય છે. તેઓ વિદ્વાન, કર્તૃ વકુશલ, સકમ ભેદના જાણકાર, મોટા તત્ત્વવિવેચક હોય છે, પણ તેમને તત્વજ્ઞાનનો નિર્ણય નાતને પાપક હે તો નથી તેથી તેમની વિદ્વત્તા અને કુશાગ્રબુદ્ધિને ઉપયોગ સ્વાર્થ સાધવામાં તથા એવાં જ સુક આચરણ આચરવા છતાં પોતાની સમાધાનવૃ ત્તને હરકત ન પહોંચે તેવા યુક્તિવાદની શોધમાં થાય છે.
આ સંબંધમાં બીજે એક એ મુદ્દો વિચારવા જેવો છે કે, કર્મ કરવામાં પ્રવૃત્ત થયેલો માણસ સહજમાં તાત્વિક માથાકૂટ કરવા બેસતો નથી અને નૈતિક આચરણને શાબ્દિક વાદની જરૂર પણ નથી. કેટલીયે અભણ પ્રેમાળ માતા પિતાના બાળક માટે નિઃસ્વાર્થ બુદ્ધિથી રાત્રીની રાત્રે જાગૃતાવસ્થામાં પસાર કરે છે! પરંતુ કાર્યકાર્ય વ્યવસ્થા શીખવનાર ગીતાવિષયક વિદ્વત્તપ્રચુર પુરાણ સાંભળતાં સાંભળતાં તે નિદ્રાવશ થઈ જશે; પણ એ ઉપરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org