________________
૪૩૧
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ વિષેને ઉત્સાહ અખ્ખલિત વહે છે અને તેના આચારમાં જરૂરની કાળજી રાખવામાં લેશ માત્ર કસૂર થતી નથી, જ્યારે કર્મ કરતાં કર્તાને જે લાગતું નથી પણ ઊલટું મન પ્રસન્ન થાય છે, જ્યારે મનની પ્રસન્નતાને સતસંગતિના સુખની જોડી મળે છે ત્યારે જ માણસના આત્માનું સર્વાગે વિકસન થાય છે અને ત્યારે જ તેનું ખ, સર્વમાં શુદ્ધ, સાત્ત્વિક, ઉદાર, સુંદર સ્વરૂપ દષ્ટિએ આવે છે. એ બેય ઘણું થડાએ જ સાધ્ય કરેલું હોય છે. ઘણુંખરાનું આત્મવિકસન અપૂર્ણ અને એકાંગી હોય છે. પરંતુ ક્યાં જવાનું છે તે આપણે જાણી શકીએ તો તે પ્રમાણે આપણે કેવી રીતે કઈ દિશાએ પ્રવાસ કરે તે ઠરાવી શકાય અને એ દષ્ટિએ જ ધ્યેયનું આ વર્ણન કરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org