________________
નીતિશાસ્ત્રપ્રવેશ નથી. કર્મ જ્યારે જ્ઞાનપૂર્વક પણ સુદ અહંતા ત્યજી કરેલું હોય છે ત્યારે જ તે પુણ્યપ્રદ બને છે. માત્ર જ્ઞાન એટલે તાર્કિક જ્ઞાન ગણુએ તે તેમાં પ્રેરકત્વ, ઉત્સાહ, માર્દવ, કોમલત્વ કંઈ જ નહિ મળે. સંપત્તિ પુષ્કળ હવા માત્રથી કોઈ માણસ સુખી છે કિંવા સજ્જન છે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ, તે જ પ્રમાણે “જ્ઞાન” એટલે ઈશ્વર વિષયક વાક્પાંડિત્ય પુષ્કળ હોવા પરથી ચિત્તને શાંતિ મળેલી છે કિંવા તેનું શીલ ઉત્તમ છે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. જ્યારે જ્ઞાન હદય અને હાડમાંસમાં પ્રવેશી ભાવનાનું એટલે ભક્તિનું સ્વરૂપ આપે ત્યારે જ તેનું જડત્વ, કારત્વ અને શુષ્કત્વ નષ્ટ થાય છે. જ્ઞાનને ભક્તિની જેડ મળે તે તેના જેવું આનંદદાયક, સ્કૂર્તિ જનક, રમ્ય, શ્રેયસ્કર અન્ય કંઈ નથી. કેવળ તાકિક જ્ઞાન જેમ શુષ્ક અને જડ છે તેમ જ કેવળ ભક્તિ માતાના પ્રેમની માફક અંધ અને અવિચારી છે.
હવે કેવળ આત્મનિગ્રહ અથવા ઈચછાશક્તિને વિચાર કરીશું. કયા કાર્ય માટે આત્મનિગ્રહ કરવામાં આવે છે તે જાણ્યા સિવાય નૈતિક દૃષ્ટિએ આત્મનિગ્રહનું શું મૂલ્ય છે તે કહી શકાય તેમ નથી. માણસ તલવારને કેવો ઉપયોગ કરે છે તે જોયા પછી તેને ક્રર કિંવા શૂર કહી શકાય છે, તે જ પ્રમાણે જ્ઞાનરૂપી કિંવા આત્મનિગ્રહરૂપી તલવારને માણસ જે ઉપયોગ કરે તે તે નૈતિકદષ્ટિએ ભલે કે ભંડો ઠરી શકે.
ઉપરના સર્વ વિવેચન પરથી એટલું ધ્યાનમાં આવશે કે, નૈતિક ધ્યેય કેવળ કર્મ ઉપર, કેવળ જ્ઞાન પર, કેવળ આત્મનિગ્રહ પર, કેવળ ભક્તિ પર કે કેવળ સંન્યાસ પર નિર્ભર નથી પણ સર્વસમુચ્ચય ૫ર છે. આત્મપ્રાપ્તિ પૂર્ણત્વ કયારે પામે છે? કેવળ જ્ઞાન મેળવીને નહિ, કેવળ ભાવના ઉચ્ચ કે શુદ્ધ બનાવવાથી નહિ, કેવળ શારીરિક કે માનસિક બળ મેળવીને નહિ અને કેવળ શુદ્ધ કર્મ કરીને પણ નહિ. જ્યારે સતકર્મ જ્ઞાનપૂર્વક અને ભક્તિ યુક્ત અંતઃકરણથી થાય છે, જ્યારે ભાવના ઉત્કટ, ઉત્સાહપૂર્ણ, શુદ્ધ, સાત્ત્વિક હોય છે અને માણસ તેને વશ થયેલો હોત નથી, જ્યારે ફલાસક્તિ પણ નથી હોતી, જ્યારે સતકર્મ કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org