________________
४२५
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ થી એવી ફરિયાદ કરનાર અનેક હોય છે. પ્રેમ કિંવા અન્ય ભાવના જાગ્રત કે ઉલ્લાસિત નથી હોતી તેથી પણ એવું ઘણું ખિત બને છે. કેટલાક દેશ ભિમાનને આવશ્યક માને છે, તેમને મનેનિગ્રહ પણ સારે હોય છે છતાં દેશને માટે તેઓને તાલાવેલી નથી લાગતી. એનું કારણ એ છે કે, તેમનું દેશાભિમાનનું જ્ઞાન કેવળ બૌદ્ધિક હોય છે. હૃદયમાં અને હાડમાંસમાં પ્રવેશેલું નથી હતું. ભોજનશાળાવાળો લેકેને શું પસંદ છે અને શું નથી તે જાણતો હોય છે, તેની ઇચ્છાશક્તિ ભારે હોય છે, પણ તેનામાં લકોની પસંદગી નાપસંદગીના ભાવનાત્મક જ્ઞાનનો અભાવ હોવાથી તે જ્ઞાન હોવા છતાં નહિ હોવા જેવું ઠરે છે. આપણું રસોઇયાની ઇચ્છા આપણને ખુશ કરવાની હોય એ સ્વાભાવિક છે. તે ઘણા દિવસના પ્રસંગમાં આવ્યા પછી આપણી ઇચ્છાઅનિચ્છા પણ સારી રીતે જાણી જાય છે, પરંતુ માતા કે સ્ત્રીના પીરસણ અને રસોઈયાના પીરસણમાં ઘણે તફાવત રહેલો છે. રસોઈ માલિકની તબિયત જાળવવા માટે અદબથી પીરસશે છતાં “કેવી રીતે પીરસવું” એ માતા કે સ્ત્રીનું પ્રેમજન્ય જ્ઞાન ગમે તેટલું કરવા છતાં રસોઇયાને પ્રાપ્ત નહિ થાય. કારણ કે એ જ્ઞાન હદયમાં પ્રેમને ઝરે હોય છે તે જ કુરે છે. સ્વહિત સાધનારી ખટપટને એ ફલ પ્રાપ્ત થતાં નથી. ઈશ્વરવિષયક જ્ઞાનમાં પણ એવા જ બે પ્રકાર છે. એક તાર્કિક અથવા શબ્દજ્ઞાનને, અને બીજે ભાવનાત્મક જ્ઞાનને. પહેલા જ્ઞાનની શીલ કિવા ચારિત્ર પર વિશેષ અસર થતી નથી. તે શુષ્ક અને પિોકળ હોય છે. બીજા પ્રકારના જ્ઞાનમાં વાફપાંડિત્યનું દર્શન નહિ થાય. તે નસેનસ અને હાડેલાડમાં આતપ્રોત હોય છે, હૃદયને ઉછાળી નાખે છે, ઉત્સાહ આપે છે, શાંતિ આપે છે અને મન તથા શરીરની કાંત બદલી નાખે છે.
કેવળ કર્મ, એટલે જેમાં જ્ઞાન અને બુદ્ધિપૂર્વક થત ફલાશાત્યાગ નથી એવું કેવળ ઇંદ્રિય વડે યંત્ર માફક કરેલું કર્મ, બકધ્યાન જેવું કિવા મત્સ્યના જલસ્નાન અથવા ગર્દભના ભસ્મ લેપન સમાન છે. અર્થાત નૈતિક દૃષ્ટિએ તેનું કઈ જ મહત્ત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org