________________
નીતિશાસ્ત્રપ્રવેશ ભક્તિમાર્ગ ઉપર કહેલા ખોટા વૈરાગ્ય તરફ અને સંન્યસ્ત તરફ બિલકુલ મૂકતા નથી એમ કહી શકાતું નથી; કારણકે ભક્તિમાર્ગીય લકોની કત્વ વિષે વિશેષ ખ્યાતિ જણાતી નથી. ઊલટું કેટલીક ખ્યાતિ તેથી વિરુદ્ધ બાબતમાં છે.
ભક્તિના યોગથી જે જ્ઞાન થાય છે તે અને તત્ત્વચિંતનના ચગે થનારા જ્ઞાનમાં જે ફરક છે તે કદી પણ ભૂલવો ન જોઈએ. તાત્ત્વિક વિચાર કર્યા પછી “ઈશ્વરનું અસ્તિત્વ ગૃહીત માનવાની આવશ્યકતા છે” એ તત્ત્વનિર્ણય થવા છતાં તેને ઈશ્વરને સાક્ષાત્કાર નહિ કહી શકાય. એક રીતે તેને ઈશ્વરનું
જ્ઞાન” થયું છે, પણ બીજી એક રીતે તેને એ જ્ઞાન થયેલું નથી. ઠીક, જેનું મન રામમાં રમી રહ્યું છે અને સર્વ રામમય બનેલું છે તે એકાદ નાસ્તિકશિરોમણિ સાથે વાગયુદ્ધ કરી યુતિવાદથી ઈશ્વરાસ્તિક્ય સિદ્ધ કરી દઈ શકે છે એવું પણ કંઈ નથી. તેનું હદય રામપ્રેમથી ઊછળી આવતું હશે, રામ સિવાય અન્ય તેને કંઈ પણ નહિ સૂઝતું હોય, તેના ચરિત્રમાં રામના ગુણ, તેની બુદ્ધિ અને શક્તિના પ્રમાણમાં દષ્ટિગોચર થતા હશે, તેની સંગતિ પૂર્તાિજનક હશે, તેની સંગતમાં નાસ્તિકનું નાસ્તિકત્વ દૂર થતું હશે, એ બધું ખરું હશે પણ શાંકરભાષ્યના ચાર શ્લોક તે ઉચ્ચારી શકશે અથવા વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કરી શકશે એમ કંઈ કહેવાય નહિ. આને અર્થ એ છે કે ઈશ્વરનું જ્ઞાન બે પ્રકારનું છે. એક ભાવનાત્મક અને બીજું બૌદ્ધિક. ઈશ્વરનું જ શા માટે? પ્રત્યેક વિષયમાં બે પ્રકારનાં જ્ઞાન છે. પડોશી ગૃહસ્થના પુત્રનો નાકમાં લીંટ આવેલી છે, લીંટ ખરાબ દેખાય છે તે હું જાણું છું, પણ એ જ્ઞાનમાં મને બેસેલે ઉઠાડી લીંટ સાફ કરવાની ફરજ પાડવાની શક્તિ નથી; પરંતુ મારા પુત્રના નાકમાં લીંટ આવેલી છે એ જ્ઞાન મને હાથમાં લીધેલું કાર્ય પડતું મુકાવે છે. લીંટ આવ્યાનું જ્ઞાન એક જ છે, પણ એકની પાછળ પ્રેમ હોય છે ત્યારે બીજામાં તેમ નથી હોતું. પહેલું જ્ઞાન દારૂ રહિત બંદૂકની ગોળી જેવું છે, બીજા જ્ઞાનની ગોળી પાછળ પ્રેમની પ્રેરણા છે. પ્રત્યેક માણસ જાણે છે કે દેશાભિમાન સારું છે; પણ દેશને માટે મથનાર થેડા જ હોય છે. ઈચ્છાશક્તિ કિંવા મનોનિગ્રહના અભાવે, સમજાય છે પણ થતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org