SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ४२७ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ મહત્ત્વ આપવામાં આવે છે અને કાચલી માટે મારામારી કરી કપરું ગુમાવવાની મૂર્ખાઈ પ્રાપ્ત થાય છે. બીજો દેવ એ છે કે, એ માર્ગ જુદે જ વૈરાગ્ય શીખવે છે કિંવા શીખવે છે એમ દેખાય છે. ખરે વૈરાગ્ય એટલે કર્તવ્યશન્યતા નહિ, સર્વકર્મસંન્યાસ નહિ કિંવા સ્મશાનવાસ નહિ. ફલાશાને ત્યાગ એ જ ખરે સંન્યાસ. સંન્યાસ કરવાનો તે ફલાસક્તિને, કર્તવ્યનો, સમાજને, સંસારને કિંવા કર્મને નહિ. મુંડન કરવાનું પણ તે મનનું; મસ્તકનું નહિ. સર્વ કંઈ ઈશ્વરાર્પણ કરવું એને અર્થ એ નથી કે, સર્વ વાત ઈશ્વર પર છેડી દઈ કરતાલ ફૂટયા કરવાં કિંવા માળા ફેરવ્યા કરવી. પ્રભુનામને જપ કરે પણ તેને અર્થ એવો નથી કે, હું આમ કરીશ અને તેમ કરીશ કિંવા આમ કર્યું અને તેમ કર્યું એવું મિથ્યાભિમાન કરવું અને કોઈ પણ બાબત માટે દુરાગ્રહ કરવો. કોઈ પણ કાર્યને યશસ્વી બનાવવું ન બનાવવું તે ઈશ્વરાધીન છે. સૃષ્ટિમાં આપણે એકલા જ “ક” નથી, જગતમાં આપણને એકલાને જ વાસના છે એવું કંઈ નથી કિંવા આપણા એકલાની જ વાસના સવારના હોય છે, અને અન્ય સર્વની અમાસના હોય છે એવું કંઈ નથી વગેરે વાત ધ્યાનમાં રાખવાથી અહંતા, દુરાગ્રહ, ફલાસક્તિ વગેરે દૂર થઈ કર્તવ્ય શું ” એટલું જ જાણવાની બુદ્ધિ થાય છે. “કર્તવ્ય કરવું. પછી તેનું ફળ મળે કે ન મળે, એવી બુદ્ધિથી કર્મ કરવું એનું જ બીજું નામ એ છે કે “કમ ઈશ્વરાર્પણ કરવું.” ભક્તિમાર્ગ એવા ઈશ્વરાર્પણને અનુકૂલ જ છે, પણ વ્યાવહારિક ઉદાહરણ તરફ જતાં એવું જણાય છે કે, ભક્તિમાર્ગના અનુયાયીઓ “કર્મ ઈશ્વરાર્પણ કરવા ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, ઈશ્વરનું સ્મરણ કરવું” એટલે “સ્વસ્થ બેસવું, સંસાર તરફ દુર્લક્ષ કરવું, ઉદ્યોગ ન કરવો” એવા પ્રકારનો વિપરીત અર્થ કરે છે. અહીં કોઈ કહે કે તેમના આળસના દોષને ટોપલે તેમની મૂળ પ્રકૃતિ કિંવા શિક્ષણ પર મૂકવો જોઈએ (ભક્તિ માર્ગ પર નહિ) તે તે યોગ્ય જ ગણાશે; કેમકે ભક્તિમાર્ગે વળેલા કેટલાક અધિક ઉદ્યોગી, સાત્વિક અને પ્રમાણિક થયેલા જણાયેલા છે. પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy