________________
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ
४२५ અધિક શુદ્ધ હોય છે. આ કાર્ય ભક્તિપૂર્વક કરવામાં નથી આવતું તે પણ તેનું થોડું ઘણું પરિણામ આવે છે તે પછી ભક્તિપૂર્વક કરવામાં આવે તેનું કેમ ન આવે ? બાહ્ય વાતની મનઃસ્થિતિ પર એવી અસર કેમ થાય છે તે કહેવું મુશ્કેલી ભર્યું છે; પણ થાય છે એટલી વાત નક્કી છે. ગાયનવાદનથી વિશિષ્ટ મનવૃત્તિ કેમ ઉત્પન્ન થાય છે? વાદળાં થતાં મન સહજ ઉદાસ કેમ બને છે? પ્રાતઃકાળે મળ્યા કરતાં મન અધિક શાંત અને સુપ્રસન્ન કેમ હોય છે? ઘરોળી શરીર પર પડતાં કિંવા પગ નીચે સાપ આવતાં માણસ કેમ ચમકે છે? આ અને એવી જ બીજી વાતનું પૂર્ણજ્ઞાન અદ્યાપિ સુધી આપણને થયેલું નથી. પણ કેટલીક બાહ્ય વાતેની આપણા જ્ઞાનતંતુ, કમેંદ્રિય અને ભાવના ઉપર વિલક્ષણ અસર થાય છે એમ તે કંઈ જ શંકા નથી. વિશિષ્ટ પ્રકારના ગાયનથી જેમ વિષયવાસના જાગ્રત થાય છે તેમજ ભક્તિરસપ્રધાન ભજનથી, સ્નાન સંધ્યાથી, ધૂપદીપ નૈવેદ્યથી સાત્ત્વિક મનોવૃત્તિનું પિષણ થાય છે અને એ દષ્ટિએ એ સાધનોનો સાત્ત્વિકતાના પિોષણાર્થે ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ એટલી માત્ર ખબરદારી રાખવી જોઈએ કે સાધનને સાધ્યનું મહત્વ અપાઈ જાય નહિ.
ભકિતમાર્ગ વિષે બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. દરેક સ્વીકારશે કે, આત્મપ્રાપ્તિ એ માણસનું ધ્યેય છે. કેટલાંક દષ્ટાંત પરથી જણાય છે કે, સાત્વિક ભાવનાને પાણીને ભક્તિયુક્ત અંત:કરણથી ઈશ્વરચિંતન કરવાથી કેટલાક વિશિષ્ટ મનોવૃત્તિના માણસને વિશિષ્ટ પ્રકારના ઈશ્વર-સાક્ષાત્કારનો કિવા તાદાભ્યને અનુભવ મળે છે. આ અનુભવ થયા પછી તેમનું મન ઉચ્ચ અને શુદ્ધ થાય છે અને આનંદસરેવરમાં તરવા લાગે છે, પક્ષીનાં પી માફક ક્ષુદ્ર વૃત્તિ ગળી પડે છે, આપપરભાવ નષ્ટ થાય છે, મન માખણથી મૃદુ અને પ્રસંગે વજીથી કઠિન બની જાય છે, ઐહિક સુખ, વૈભવ અને કીર્તિની મહત્તા દૂર થાય છે, શરીર જેકે આ લોકમાં હોય છે પણ બુદ્ધિ પારલૌકિક શ્રેય. જ વિચાર કરે છે, આત્માને તનમનાટ શાંત થાય છે, સંતેષ પ્રાપ્ત થાય છે અને એકંદરે ઈશ્વરી સાત્વિકતાનો તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org