________________
જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ
૪૨૧ પરથી કોઈ એ સર્વનાં નૈતિકદષ્ટિએ વખાણ કરતા નથી કે નિંદા પણ કરતા નથી એ સર્વ જોઈને તેઓ આશ્ચર્યચકિત બને છે અને ઈશ્વરીલીલા કિવા માનવી પ્રયત્નની પ્રશંસા કરે છે. આપણે વિષની નિંદા કે ઔષધની સ્તુતિ કરીએ છીએ તે નૈતિક દષ્ટિએ કરતા નથી. એ જ પ્રમાણે એકાદ હોગી કિંવા માંત્રિક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્ય હેય તે પરથી તે નૈતિક દૃષ્ટિએ પૂજ્ય કે નિંઘ ઠર નથી. તેની નૈતિક યોગ્યતા તેની શક્તિ પર નહિ પણ શીલ પર અવલંબી રહેશે. શીલ જે સારું હશે તો તેની સિદ્ધિ માનવજાતિને સારી ઉપયોગી થઈ પડશે અને તેમ નહિ હોય તો તે પોતાની શકિતને દુપયોગ કરી પિતાનું પારમાર્થિક અકલ્યાણ કરી લેશે.
રાજગ
જેને રાજગ કહેવામાં આવે છે તેની વાત માત્ર જુદી છે. આ યોગનું ધ્યેય વિશિષ્ટ સિદ્ધિ મેળવવાનું નથી હોતું. રાજયોગનું બેય આત્મપ્રાપ્તિનું છે. હા, એ ખરું છે કે, એ આભપ્રાપ્તિના અનુષંગપણામાં કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થઈ જતાં રાજગી તેનો ત્યાગ કરી દે છે એમ કહી શકાય તેમ નથી. રાજયોગમાં પ્રાણાયામ, આસને વગેરે છે; પરંતુ એ સર્વનું પર્યાવસાન જ્ઞાનમાં હોય છે અને જ્ઞાનના યોગથી મોક્ષ મળે છે. રાજયોગમાં મોક્ષના સાધન તરીકે પ્રાણાયામ, આસન વગેરે જણાવેલાં છે. પૂર્ણજ્ઞાન કિંવા બ્રહ્મજ્ઞાન થવાને શરીરશુદ્ધિ અને મનઃશુદ્ધિની આવશ્યકતા હોય છે અને એ બે શુદ્ધિ (સિદ્ધ નહિ) રાજયોગના અભ્યાસથી પ્રાપ્ત થાય છે; કિંવા પ્રાપ્ત થાય છે એવી સમજ છે એમ કહે. રાજયોગ સન્માન્ય થવાનું કારણ આ જ છે. રાજયોગમાં હઠાગની માફક તામસપણું નથી. રાજ્યોગની શિખામણ – જગ્યા સ્વરછ, નિર્મળ અને હવદાર હોવી જોઈએ, ઈદ્રિય આધીનમાં રાખવી, મન એકાગ્ર અને શુદ્ધ રાખવું વગેરે પ્રકારની હોય છે. શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ એ બે યોગાભ્યાસરૂપી બીજથી ઉદ્દભવે છે એમ કહેવાને વિશેષ પ્રત્યવાય નથી. પણ પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, પ્રાણાયામાદિ માર્ગ સિવાયના માર્ગે પણ એ કાર્ય સાધી શકાય છે. જ્ઞાનમંદિરે જવાને રાજયોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org