________________
નીતિશાસ્ત્રપ્રવેશ તેમનામાં એટલે જ ફરક હોય છે કે તેમણે કેટલાક અવયવને વિશિષ્ટ પ્રકારની કવાયત શીખવાડેલી હોય છે. “કવાયત’ – હા, કવાયત નહિ તો બીજું શું? તાર પર ચાલવું, બાટલીઓ પર કમાન વાળવી, સરકસમાં સીંગલ ટ્રેપીજ પર કેવળ પગનાં આંગળાંના આધારે ઊંધા લટકી રહેવું, મલિયાંની રમતમાં એક દેરડા પર વાંસ પકડી ચાલવું વગેરેમાં જણાતી કુશળતા અને હોગીની કુશળતામાં નૈતિકદષ્ટિએ કંઈ ફેર નથી.
- હા, હઠાગીના અભ્યાસથી કંઈ “સિદ્ધ” પ્રાપ્ત થતી હશે તેની ના નથી. શું કસરત કરનારને વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી? શું કોઈ સામાન્ય માણસ તાર પર ચાલી શકશે કેઈ વાંસ પર મલખમની રમત રમી શકશે? કઈ પાંચ પાંચ કલાક સુધી પાણુમાં અખલિત તર્યા કરશે? વિશિષ્ટ પ્રકારના શરીલેશ, જપ જાપ, મંત્રતંત્ર વગેરે દ્વારા વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થવી અશક્ય નથી.
પ્રયોગથી સિદ્ધ થયેલું છે કે, હિપ્નોટીઝમ કિંવા મેગ્નેરિઝમ દ્વારા માણસમાં ચમત્કારિક શક્તિ આવે છે જેમણે હિપ્નોટીઝમને સપ્રયોગ અભ્યાસ કરે છે, તેઓ શ્રદ્ધાળુ અને કોમળ માણસમાં વિશિષ્ટ પ્રકારની બેશુદ્ધિ ઉત્પન્ન કરી તેનું મન તે બેશુદ્ધિના સમયમાં પૂર્ણ રીતે પિતાને વશ કરી દે છે, તેને ઇચ્છા પ્રમાણે રડાવે છે, હસાવે છે, માથું દુખવે છે, માથાનું દુઃખ બંધ કરી દે છે, સોય ઘચવા છતાં કંઈ લાગે નહિ તેવું તેના શરીરને બહેરું બનાવી દે છે વગેરે વાતો જેઓને હિપ્નોટીઝમની માહિતી છે તેઓ સિદ્ધ માનશે. વિશિષ્ટ પ્રકારનાં આસનના અભ્યાસથી, કાયિક તપશ્ચર્યાથી, મંત્રતંત્રથી, હિપ્નોટીઝમ કે મેમેરઝમથી અથવા અન્ય ઉપાયથી લેકના મનના વિચાર જાણવાની કિંવા વિશિષ્ટ રોગ ઉત્પન્ન કરવાની અથવા સારા કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લેવી એ શક્ય છે, પણ સૌજન્યની દષ્ટિએ તેની શી કિંમત છે? આખલો ખૂબ મસ્ત બને, એન્જિન હજારો માણસને કલાકના સાઠ સાઠ માઈલ દૂર લઈ જાય, તેપ એક મિનિટમાં હજારો માણસ મારી નાખી શકે, એકાદ ઔષધથી અમુક રોગજંતુને નાશ થઈ જાય, અને એકાદ વિષના ટીપાથી દસવીસ માણસ મરી જાય તેટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org