________________
૧૭
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ અને કર્મ પણ કરવાં. પ્રભુએ જ્ઞાનતંતુ ( afferent nerves) આપેલા છે તે પ્રમાણે પ્રવાતંતુ પણ (efferent nerves ) આપેલા છે. પથારીમાં માકણ હોય છે તે તે વાત જ્ઞાનતંતુ મગજન જણાવે છે અને મગજ પ્રવૃત્તિતંતુને પ્રેરણા આપી સ્નાયુ, આંગળાં વગેરેને ચલન આપે છે તથા માંકણને આંગળાંથી પકડી દેશવટો અપાવે છે. જે સૃષ્ટિને પ્રવૃત્તિ ઈષ્ટ ન હોત તો તે માત્ર જ્ઞાનત તુ આપીને સ્વસ્થ બેઠી હોત; પરંતુ તેમ ન કરતાં જ્ઞાન થયા પછી જ્ઞાનને ઉપયોગ થાય તે સારુ તેણે પ્રવૃત્તિતંતુ, સ્નાયુ વગેરે આપ્યા છે.
હા, એ પણ જવાનું છે કે, જ્ઞાન થવા છતાં ખડતલ કર્મયેગીને જરૂરને ઉત્સાહ, જેમ, વીર્ય વગેરે ગુણ તે માણસમાં હેવી જ જોઈએ એવું કંઈ નથી. હતું. જ્ઞાનીએ ઈકિ જીતેલી હશે, પણ ઉત્સાહ, વીર્ય વગેરે આત્માની માફક શરીરસ્થિતિ પર, પૂર્વની ટવ પર અને અનુભવ પર અવલંબી રહેલ છે. વિદ્યાનું જાણપણું હોવું એ વાત જુદી છે અને તે અન્યને આપતાં આવડવું એ વાત જુદી છે. કાલિદાસે કહ્યું છેઃ
शिष्टा क्रिया कस्यचिदात्मसंस्था
संक्रान्तिरन्यस्य विशेषयुक्ता । જ્ઞાન થવા છતાં તે તેજસ્વી, ઉત્સાહયુક્ત, કર્તવવાન હશે જ એવું કંઈ નથી. કર્તુત્વ કે તેજ એ જ્ઞાનથી ભિન્ન ગુણ છે. જ્ઞાનને જે આત્માનું લાવણ્ય કહીએ તે કતૃત્વને આત્માનું બળ કહેવું જોઈએ. જ્ઞાનીમાં ઈદ્રિયનિગ્રહનું બળ હોય છે જ, પણ વ્યવહારમાં કતૃત્વ કરી બતાવવાનું કે વીર્ય ગજાવવાનું બળ ભિન્ન છે. જ્યાં આત્મનિગ્રહ અને જ્ઞાન છે ત્યાં વાર્ય હોય છે જ એવું કંઈ નથી. નિવધ જ્ઞાન નિર્બળ કિંવા વ્યથિત લાવણ્ય જેવું છે. મન કે શરીર અસ્વસ્થ હોય છે તે લાવણ્ય નથી જ હેતું એમ કંઈ નથી. દુષ્યન્તદર્શને પછી શકુ તલા કામવિલ થઈ દિવસે દિવસે ક્ષીણ થતી ગઈ હતી પણ “લાવણમયી છાયા” તેને છોડી ગઈ ન હતી. પરંતુ એ લાવણ્યથી તેની સખીને સંતોષ થયે નહિ અને ઊલટું ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org