________________
નીતિશાસ્ત્ર પ્રવેશ તારતમ્યાત્મ જ્ઞાન થયું છે, ઈકિયે જેણે સ્વાધીન રાખી છે અને સર્વ જગત જેને કુટુંબ સમાન લાગે છે એવા માણસે કર્મ કરવાં નહિ ત્યારે શું, સ્વાથી, વ્યસની, દુષ્ટ લેકેએ કરવાં ? જે સંસાર ચલાવવાનું કેઈને નૈતિક અધિકાર હોય તે તે જ્ઞાનીને છે. કેમકે તેને સંસાર તેને પોતાને તે પ્રસન્ન રાખશે જ; પણ પોતાના સુવાસથી તે અન્યને આનંદી બનાવશે, એટલું જ નહિ પણ અન્યને આત્મપ્રાપ્તિને ખરે માર્ગ દર્શાવી નિત્ય અને સાત્વિક આનંદસાગર તરફ લઈ જશે. જે જ્ઞાની માણસ સત કર્મની પણ આ છે રાખે તે સૂર્યો પિતાના પ્રકાશની આભડછેટ કેમ ન ર” તેણે અંધકારને જ આવશ્યક માનવો જોઈએ! અર્થાત અવરને નાશ કરવાનું કાર્ય કરવું એ મહત પાપ છે એમ તેણે માનવું જોઈએ !
ખરી રીતે જ્ઞાની જને સંસારનો અંધકાર દૂર કરવા સારુ પિતાના જ્ઞાનની જ્યોત જનસમાજ વચ્ચે મૂકવી જોઈએ. પરંતુ કેટલાકને એ અભિપ્રાય પસંદ નથી. તેઓ કહે છે કે જ્ઞાની સ્વયંપ્રકાશિત છે. તે પરાવલંબી નથી હોતે. આત્મસંતુષ્ટ હોય છે. તેની પાછળ તમે લેકસંગ્રહની ઉપાધિ શા માટે વળગાડે છે ? ઉત્તર એટલે જ છે કે, પ્રકાશ આપ એ સૂર્ય પર નાખેલે બોજો નથી પણ તેને ધર્મ છે; તે પ્રમાણે જ લોકસંગ્રહાથે કમ કરવાં એ જ્ઞાનીને ધર્મ છે. એ તે સ્વાભાવિક છે કે તે એ કર્મોનું સ્વરૂપ પોતાના મન પ્રમાણે ઘડશે. તે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, ધાર્મિક પૈકી ગમે તે સ્વરૂપનાં હેઈ શકે દિવા કદાચિત ગુફામાં રહીને જ તબલથી કે ગબલથી હરેક પ્રકારના લોકોને સાક્ષાત્કાર આપીને કિંવા સૂક્ષ્મ શરીરે ભેટીને અથવા પિતાના આત્મબલથી તે તેમનું મન બદલીને લોકહિત સાધી શકે. કર્મનું સ્વરૂપ ગમે તેવું છે, જ્યાં સુધી તેની જ્ઞાતિનો જગતના એકાદ માણસને પણ ઉપયોગ થઈ શકે છે ત્યાં સુધી તે કામ કર્યા સિવાય સ્વસ્થ બેસે એ કદીયે સંતોષદાયક ન ગણાય.
શરીરની રચના જોવાથી જ સ્પષ્ટ જણાય છે કે પ્રભુનો અથવા સૃષ્ટિનિયંતાને એ ઉદ્દેશ છે કે, માણસે જ્ઞાન મેળવવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org