________________
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ૪૧૫ પાપકર્મ ખરાબ છે એમ જાણવા છતાં કેટલીક વખતે આપણે પાપ આચરીએ છીએ તેનું કારણ એ જ છે કે પાપ ખરાબ હોવાનું જ્ઞાન આપણા શરીરમાં ચોક્કસ વસેલું નથી હોતું. આચરણમાં જે ઊતરે તે જ ખરું જ્ઞાન. પૂર્ણજ્ઞાનીનું જ્ઞાન સદાચરણ દ્વારા વ્યક્ત થઈ શકે. અસદાચરણ તેને માટે શક્ય જ નથી.
જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાં જ જોઈએ – કર્મ સાધન તરીકે આવશ્યક હોવાની વાત કરી ગયા છીએ; – તેવી જ રીતે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે કર્મ થશે તે સતકર્મ જ હશે
– હાવાં જોઈએ એમ આપણે જાણું લીધું; પણ અહીં એક એ પ્રશ્ન સંભવે છે કે, પૂર્ણ જ્ઞાનીને માટે અસતકર્મ જેકે શક્ય નહિ હોય, પણ અ-કર્મ શક્ય હશે; અને અ-કર્મ ધ્યેય હોવું શક્ય છે. હવે, ર દિ શ્ચિત ક્ષગમ વાતુ તિચાત એ ન્યાયે અત્યંત અ-કર્મ માણસને માટે શક્ય જ નથી એ આક્ષેપ ઊભો થાય તેમ છે. બીજો એથી બળવત્તર આક્ષેપ એ છે કે, પૂર્ણ જ્ઞાની બનેલા માણસો માત્ર કર્મ છોડી દે તે પછી પૂર્ણ રીતે નિર્દોષ, ઉચ્ચતમ અને ઉદાત્તતમ એવાં કર્મ જગતમાં અશક્ય બને. કર્મ કેવાં કરવાં જોઈએ તે અજ્ઞાનીઓને સમજાવવું હોય તો પૂર્ણ જ્ઞાનીઓએ કર્મ કરવાં જ જોઈએ. ત્રીજો આક્ષેપ છે કે સામન્ત રહેવાનું જ હોય તો પાપીએ જ રહેવું જોઈએ, કરણ તેથી તેના હાથે પાપાચરણ જ ન થાય અને તે પિતાને નાશ કરી લે નહિ ! પાણીમાં નહિ જ પસવાને નિયમ કરે હોય છે જેને તરતાં આવડતું ન હોય તેને ઉદ્દેશીને તે થવો જોઈએ; કેમકે તેવો કોઈ પાણીમાં પ્રવેશ કરે તો તે ડૂબી મરવાનો સંભવ છે. પણ તરવામાં નિપુણ બનેલાને એ નિયમ લાગુ પાડવામાં આવે તો ડૂબનારને તારે કોણ? જે ભવસાગરમાં નિઃશંક પાર પડે તેમ હોય; એટલું જ નહિ પણ અન્યને પણ પાર લઈ જાય તેમ હોય તે ભવસાગરમાં ભૂસકે ન મારે તે પછી તારે કે? સાગરથી ભયચકિત બનેલા તારશે ? જે સંસારના સર્વ મર્મને જાણી શક્યો છે, પ્રેય શું અને શ્રેય શું છે જેને સમજાયું છે, દ્રવ્ય, વિદ્યા, દેશાભિમાનનું મૂલ્ય શું છે વગેરેનું જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org