SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ નીતિશાસ્ત્રપ્રવેશ જ્ઞાનનું પૂર્ણ સાર્થક અથવા સાફલ્ય થયું છે? મસ્તકમાં બૃહસ્પતિ જેટલી બુદ્ધિ છે પણ જીભથી બોલી શકાતું નથી અને હાથે લખી શકાતું નથી, એવી સ્થિતિમાં એ જ્ઞાન અધક આનંદદાયક થાય કે દુઃખદાયક થાય એ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. ધારો કે કોઈને કંઈ જવા આવવાનું નથી. નેહીસંબંધી કે સગાં વહાલાંમાંનું કઈ કંઈ જાય કિંવા આવે એવી ઈચ્છા પણ તેને નથી એમ માનો. એવા માણસને “વરાળશ ક્તથી આગગાડી ચલાવી શકાય છે' એ જ્ઞાનનું કેટલું મહત્ત્વ લાગશે? જ્ઞાનમાત્રમાં આનંદ રહેલ છે તે પ્રમાણે વરાળશક્તિના જ્ઞાનથી તેને આનંદ થાય; પણ એ જ્ઞાન નષ્ટ થાય તો તેથી કઈ તેને બેચેની નહિ લાગે; કેમકે તે જ્ઞાનને એને કંઈ વિશેષ ઉપયોગ જ ન હતો. જે ગામ કદી જવું નથી તે ગામના રસ્તે ભૂલી જવાથી જેમ કંઈ ખરાબ લાગતું નથી તે જ પ્રમાણે જે જ્ઞાનને વિશેષ ઉપયોગ નથી તે જ્ઞાન મૃતિમાંથી જતું રહેવાથી કઈ દિલગીર નહિ થાય. નિરુપયોગી જ્ઞાન માટે કોણ તલસે છે? કોઈ વક્તા, લંડનમાં અમુક સ્થળે જતાં અમુક દુકાને આવે છે એ જ્ઞાન જે વડોદરાના શ્રોતાને આપવા લાગે છે કે કહે કે ભાઈ, બેસી જાઓ. અમને એ જ્ઞાન બોજારૂપ લાગે છે. વ્યવહારમાં કાવ્યને કંઈ ઉપયોગ નથી, – તરસ લાગી હોય તે વખતે કાવ્યરસથી કંઈ તરસ મટતી નથી – માટે જગતનાં કાવ્યમાત્રને નાશ કરવા હું કહું છું? ના. ખાવાપીવામાં જે ઉપયોગી હોય તે જ કામનું છે એમ હું કહેતો નથી. ઉપયોગિતા અનેક પ્રકાર અને દરજજાની છે. માણસની પસંદગી વિધવિધ પ્રકારની હોય છે. તેને પ્રત્યેક પ્રકારની ઈચ્છા હોય છે. ભિન્ન ભિન્ન માણસની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે. કાવ્યરસિકને કાવ્યરસ ઉપયોગને છે જ. વૈયાકરણીને વ્યાકરણ જરૂરનું છે. અરે કંઈ પણ અનુપયોગી નથી. જિજ્ઞાસા માણસમાત્રમાં રહેલી પ્રબળ પ્રવૃત્તિ છે. જે જિજ્ઞાસા તૃપ્ત કરે છે તે જ્ઞાન, અને એ તૃપ્તિમાં આનંદ નથી એમ કોણ કહી શકશે? પરંતુ ઉનાળા પછી ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ પડે છતાં વૃષ્ટિથી આનંદ થવો જોઈએ એ ખરું છે, તદપિ તે વૃષ્ટિ જે યોગ્ય સમયે યોગ્ય સ્થળે થાય તે દૂધમાં સાકર નાખ્યા જેવું બને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy