________________
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ
૪૦૯ દ્વારા મિલના કાપડની માફક સત્કર્મને પ્રવાહ વહે તે તેની કઈ પૂજા કરશે નહિ; કારણ કે નૈતિક દૃષ્ટિએ જ્ઞાનહીન કર્મની કંઈ કિંમત નથી. એટલે જ્ઞાનના અધિષ્ઠાન વગરનું કર્મ નૈતિક દષ્ટિએ નકામું કરે છે. જ્ઞાન અને કર્મને આ પ્રમાણે ગૂંથણિયો સંબંધ છે તેથી તેને જરા વિસ્તારથી વિચાર કરીશું.
કર્મેન્દ્રિયના વ્યાપાર પર જ્ઞાનનું કેવું અવલંબન છે તે દર્શાવનાર એક કાલ્પનિક દષ્ટાંત લક્ષમાં આવ્યું છે તે અહીં રજૂ કરવાને હરકત નથી. ધારો કે, મને એક અમૃતકૃપી જડી છે અને (તે મારા જ ઉદરમાં પધરાવી ન દેતાં) તે મેં તરતના જન્મેલા બાળકને પાઈ દઈ તેને પલંગ પર સજજડ બાંધી રાખ્યું છે. મેં વ્યવસ્થા એવી કરી છે કે તેનો શ્વાસોચ્છવાસ ચાલે પણ તે હલનચલન કરી શકે નહિ, આંખે કંઈ જોઈ શકે નહિ અને તેને ખાવાપીવાને કંઈ મળે નહિ, અમૃતપાનથી તે બાળક જીવશે અને ઊછરશે પરંતુ કોઈ પણ કામ થઈ ન શકે તેવી સ્થિતિમાં તેને કંઈ જ્ઞાન થશે કે? તે સો વર્ષ જીવે પણ તેનાં ચક્ષુ બંધ હોવાના કારણે તેને સર્વત્ર અંધકાર જણાશે. “પ્રકાશનો અર્થ જ તે નહિ સમજી શકે. કંઈ આહાર નહિ મળવાના કારણે ગળ્યું, કડવું, મીઠું, તીખું, વગેરે રસનું જ્ઞાન પણ તેને થઈ શકે નહિ. એ બાબતનું જ્ઞાન કરાવવા તેના કાન આગળ હું ગમે તેટલે ટકટકારો કરું પણ તેનું ભાન તેને થઈ શકે જ નહિ. તે તે કહેશે કે, પ્રકાશ અને અંધકાર; ગળ્યું અને કડવું એ બધુંયે મારે મન સરખું છે. અને એટલું ક્યારે કહી શકાય કે એ બદ્ધ સ્થિતિમાં તે બોલી શકે છે એવી કલપના કરીએ તો જ. આ ઉપરથી જણાશે કે જ્ઞાન, જ્ઞાન એમ જે આપણે કહીએ છીએ તે કર્મને અત્યંત અભાવ કલ્પીએ તે માણસને પ્રાપ્ત થાય એવો સંભવ જ નથી.
ઠીક, હવે એવો વિચાર કરીએ કે, કેઈ એકને પૂર્ણ જ્ઞાન થયેલું છે, પણ અધગવાયુથી કિંવા અન્ય કોઈ પણ કારણથી એકે પ્રકારનું કામ કરવાની શક્તિ તેનામાં રહી નથી. જ્ઞાનને જે વિશિષ્ટ અને અવર્ણનીય આનંદ છે તે બ્રહ્મા પણ તેની પાસેથી ખૂંચવી લઈ શકશે નહિ, પણ તેને એમ લાગશે ખરું કે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org