SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ જ્ઞાન અને કર્મ જ્ઞાન અને કર્મને સંબંધ મઝાને છે. ઔષધના જ્ઞાનની જરૂર શા સારુ? રેગ દૂર કરવા માટે. જગતમાં જે રોગને અત્યંત અભાવ કલ્પવામાં આવે તે જ્ઞાનને વિશેષ ઉપયોગ રહે નહિ. આ દૃષ્ટિએ જોતાં વિશિષ્ટ કર્મના સાધનભૂત તરીકે જ જ્ઞાનની મહત્તા છે; પણ બીજી એક દષ્ટિએ જોવામાં આવે તે કર્મ જ્ઞાનનું સાધન કરે છે. કોઈ પણ કલાકે વિદ્યાનો વિચાર કરશો તો જણાશે કે, તે કંઈ આત્માને વિદ્યુતપ્રકાશની માફક પ્રાપ્ત થતી નથી, પણ તેના માટે હરેક પ્રકારનાં કર્મ– તપ કરવાં પડે છે. એક વખત શાન સાધ્ય ઠરે છે તે એક વખત કમ સાધ્ય ઠરે છે એ એક પ્રકારને ચમત્કાર જ છે. ઠીક, જ્ઞાન પૂર્ણ છે, પણ ધારો કે મન પ્રમાણે કર્મ કરવાની શરીરમાં શક્તિ રહેલી નથી. આવું દુર્બળ જ્ઞાન મનનું સમાધાન કરી શકતું નથી. આ ઉપરથી જણાય છે કે, કર્મ વિના પૂર્ણ જ્ઞાન પણ પૂર્ણ સાર્થક બનતું નથી. હવે ધારે કે કર્મ ઘણાં સારાં છે પણ તે જ્ઞાનપૂર્વક કરેલાં નથી. આ જ્ઞાનશૂન્ય “સતકર્મ' માણસના મનમાં બિલકુલ પૂજ્યભાવ ઉત્પન્ન કરતાં નથી. એકાદ જ્ઞાનશન્ય માણસના શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy