SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ આત્માનું અમરત્વ હોય – તે પછી ઈદ્રિયદમન કરનાર મૂર્ખ ગણાવા જોઈએ અને કઈ પણ જાતને વિધિનિષેધ માન્યા વિના ઈદ્રિયપૂજન કરનારા ડાહ્યા ગણાવા જોઈએ ! (૩) આત્મા જે અમર ન હોય તે આ લોકમાં સતપુરુષને જે છળ થાય છે અને દુજને મઝા મારે છે તેનું નૈતિકદષ્ટિએ સમર્થન કરવામાં મુશ્કેલી આવે છે; માટે પુનર્જન્મ માનવે જ જોઈએ. (૪) જર્મન તત્ત્વવેત્તા કેટ કહે છે કે “આત્માનું અમરત્વ” તર્કથી (Reason) જેકે સિદ્ધ ન થાય તો પણ નીતિદષ્ટિએ માનવાની આવશ્યકતા છે. કારણ માણસને – નિદાન સારા માણસને નીતિથી ચાલવાની ઈચ્છા હોય છે; પણ જ્યાં સુધી તેનું શરીરબંધન તૂટતું નથી, જ્યાં સુધી તે વાસનાથી મુક્ત થઈ શકતા નથી, ત્યાં સુધી તેની આકાંક્ષા નિષ્ફળ જાય છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી વાસનારહિત અને કેવળ ઉચ્ચ નીતિપ્રેમથી જ પ્રવૃત્ત થનારી નીતિમત્તા તેને માટે શક્ય નથી, શરીરબંધન તૂટયા પછી જ નીતિમત્તાની ખરી ઈમારત બંધાવી શક્ય છે; કારણ વાસના અને ઉચ્ચતમ નીતિમત્તા વચ્ચે હાડવેર છે. ખરી નીતિમત્તા મરણોત્તર જ હોવાથી મરણ પછી આત્મા જીવતે હોય છે એમ માનવું નતિકષ્ટએ ફરજરૂપ છે. વિચારી વાચકના દયાનમાં આવ્યું જ હશે કે, કેટને આ કેટીક્રમ પહેલા કેટીક્રમથી કંચિત વિરુદ્ધ છે. કેટ કહે છે કે, શરીર કિંવા શારીરિક વાસના છે ત્યાં સુધી ખરી નીતિમત્તા જ નથી માટે આત્મા અમર છે. પહેલો કોટીક્રમ એવો છે કે, આ લેકમાં નૈતિકષ્ટએ આટલી પ્રગતિ કર્યા પછી જો સતપુરુષનો આત્મા શૂન્યમાં લુપ્ત થતું હોય તે આટલી નૈતિક માથાફેડ વ્યર્થ જ ગઈ ગણાય. આ જન્મમાં ખરી નિષ્કામ નીતિમત્તા શક્ય નહિ હોવાથી કેટ પરલોકને માને છે. તેનું પહેલું પ્રમાણ એ છે કે, આ જન્મમાં નીતિમત્તાની સારી પ્રગતિ થયા પછી તે નિષ્ફળ થાય એ યોગ્ય નથી. (૫) હવે પ્રેમવિષયક લાલસા આપણને એ પ્રશ્ન બદલ કેવો નિર્ણય આપવાને કહે છે તે જોઈશું. માતાને પિતાનું પ્રિય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy