________________
આમાનું અમરત્વ ફેરિયરની કેટી દોષયુક્ત છે. “તું તારા આત્માને નાશ થયે છે એવી કલ્પના કરએમ કહેનારે તે કલ્પના કરનાર હું” ગૃહીત ગણવાનું મને કહેલું જ છે, પણ આ પ્રેક્ષક “હું ગૃહીત ગણ્યા પછી તે કહેનાર તરત જ ફરી બેસે છે અને મને પૂછે છે કે, તારા અત્યંત નાશની ક૯૫ના કરતાં જ તને આવડતી નથી, કેમકે તેવી કલ્પના કરતી વખતે તું તારું અસ્તિત્વ ગૃહીત ગણે છે! પણ આ દાવ ન્યાયથી ઊલટો છે એમ કહેવાની જરૂર જ નથી.
() “આત્મા દેહની માફક જડ, અશુદ્ધ કે મિશ્ર નથી; પણ દિવ્ય, શુદ્ધ અને એકજાતીય છે. માટે તેને નાશ શક્યા નથી.” પ્લેટનું આ પ્રમાણ પ્રથમતઃ ઉપર જણાવ્યું તેમજ બાલિશ લાગે છે. આ આક્ષેપ પ્લેટોની જાણબહાર ન હતા. વીણાના તાર કરતાં તેમાંથી નીકળતો સુસ્વર ધ્વનિ ઉત્તમ – પૃહણાય – શુદ્ધતર – ઉચ્ચતર – દિવ્ય હોય છે એમ કહી શકાશે, પણ વીણાના તાર બગડે છે, તૂટે છે તે સુસ્વર વનિ પણ નાશ પામે છે એ દષ્ટાંત દ્વારા લેટોએ આત્માને અને દેહનો સંબંધ “સુસ્વર” અને “વીણાના સંબંધ જે હશે એમ પોતે જ સૂચવ્યું છે. તાર વ્યવસ્થિત સ્થિતિમાં આવી જાય છે એટલે જેમ આઘાતથી સુસ્વર ધ્વનિ નીકળે છે તેમજ દેહમાંના પરમાણુ વિશિષ્ટ પ્રકારની સુસંગત સ્થિતિમાં હોય છે એટલે તેમાં વિષયગ્રહણ, વિચાર કરવા વગેરેની પાત્રતા આવે છે – એટલે સજીવ– કિંવા સાત્મત્વ આવે છે એમ કહેનાર આક્ષેપકને પ્લેટોએ પૂરતો ઉત્તર આપેલ નથી. ઠીક, આત્માને સ્વતંત્ર માની તે શુદ્ધ, એકજાતીય અને દિવ્ય છે એમ ગણવામાં આવે તે પણ શું? શુદ્ધ એકજાતીય અને દિવ્ય વસ્તુ વિનાશ નથી પામતી?
દેખીતા અર્થ તરફ જતાં ઉક્ત પ્રમાણ ટકી શકતું નથી; પણ તેમાં તથ્ય નથી એમ નહિ કહી શકાય. સત્તત્ત્વવાદમાં જે તય આપણને જણાયું છે તે જ આમાં છે. એટલે, માણસની એક પ્રકારની ઉચ્ચ આકાંક્ષા – ઇચછા કહેવી હોય તો તેમ કહે – તેને કહે છે કે, આત્મા જેવી મૂલ્ય વસ્તુનો નાશ યોગ્ય નથી અને જમતમાં જો મૂર્ખતાનું સામ્રાજ્ય ન હોય તે આત્મા જેવા શુદ્ધતમ અને ઉચ્ચતમ પદાર્થનો નાશ શક્ય નથી. આ આકાંક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org