________________
નીતિશાસ્ત્રપ્રવેશ એટલે આપણી ઉચ્ચ આકાંક્ષા; અને આ સત્તવલેક ખરે છે એમ માનવું” એનો અર્થ એ કે “આ આકાંક્ષા સફળ થશે એવી દઢ શ્રદ્ધા હેવી.” જેના હૃદયમાં આવી દઢ શ્રદ્ધા છે તેને દેહ નષ્ટ થયા પછી સર્વ કંઈ નષ્ટ થઈ જાય છે એ તત્ત્વ રચવું શક્ય નથી. તે કહેશે કે, એવો મત સ્વીકારવો એટલે જગતમાં ન્યાય, નીતિ, સુવિચાર વગેરે કંઈ જ નથી એમ કહેવા જેવું છે. આત્મા મત્યે હોય તે જગચાલકશક્તિને સદોષ કહેવી જોઈએ. આત્મા અમર હોવો જ જોઈએ, કેમકે તે તેવો નહિ હોય તો આમાં ઉત્પન્ન કરનાર ઈશ્વર (–કિંવા ઉત્પન્ન કરનારી મૂળશક્તિ –) –અસત કુવિચારી, ગાંડે છે એમ કહેવાને પ્રસંગ આવશે. પણ એમ કહેવું એટલે આપણી સર્વ ઉચ્ચ આકાંક્ષા અને સર્વ સવિચાર ઘેલછાભર્યા હતા એમ કહેવા જેવું છે. “આત્માની કલ્પનામાં અમરત્વને અંતર્ભાવ થાય છે માટે તે અમર છે ”એ તેટના પ્રમાણનો ખરે અર્થ એ જ છે કે, આત્માને અમર ન માનવ એટલે જગતનો કારભાર ગાંડપણથી ચાલે છે એમ માનવા જેવું છે અને એમ માનવું તે આપણને ઉચિત લાગતું નથી.
આત્માની કલ્પનામાં સજીવ છે, માટે તે કદી પણ નિર્જીવ બને નહિ” એ પ્લેટોની કેટી પર પ્રથમદર્શનીય છોકરવાદીપણાને આક્ષેપ થ સ્વાભાવિક છે. વેટ વગેરે પ્લેટોના મનમાં નહિ રહેલે અર્થ તેના મનમાં ગર્ભિત હતો એવી કલ્પના કરી તેના તત્ત્વનું સમર્થન કરે છે એમ કેટલીક વખત લાગે છે. અહીં એ બાબતમાં વિશેષ ઊંડે જવાનું પ્રયોજન નથી.
પ્લેટના સત્તત્ત્વવાદની શાબ્દિક છોકરવાદીની કાચલીમાં તાત્વિક કપરું છે કે શું, તેને આ વૃત્તિથી વિચાર કર્યા પછી ફેરીયર તત્ત્વજ્ઞની એવી જ એક કેટીનું સ્મરણ થાય છે. ફેરિયર એક સ્થળે કહે છે કે, આપણા આત્માનો અત્યંત નાશ થયો છે એવી કલ્પના જ કરવી અશક્ય છે, કેમકે તે કલ્પના કરનાર “હું પ્રેક્ષક તરીકે જીવંત છું એમ કલ્પવું જ પડે છે ! પ્લેટની કોટી પણ એવા જ પ્રકારની છે. “મટ્ય આત્મા એ કલ્પના જ અશક્ય છે માટે આત્મા અમર છે” એમ તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org