________________
આત્માનું અમરત્વ
૩૯૯ સર્વજ્ઞત્વ વગેરે ગુણોથી યુક્ત હોવાથી તે જગતમાં આત્મવિનાશ જેવો દે રહેવા દે નહિ.”
ઈશ્વર એટલે સર્વસદ્ગણ અને સર્વિચારનું નિવાસગૃહ” એવી કેટલાક સુશિક્ષિતેની કલ્પના હોવાથી “ઈશ્વર' શબ્દ વાપરવાને બદલે તેને ઉપર જણાવેલ પ્રમાણનું આ પ્રમાણે રૂપાંતર કરે છે : “જે જગતમાં સદ્ગુણનું, સવિચારનું સામ્રાજ્ય હાય – એટલે જગત ચલાવનાર શકિત સુવિચારી, સગુણી હોય તે સતપુરુષના આત્માનો નાશ કરવા જેવા પ્રકારની અનુચિત વાતને તે જગતચાલાક શક્તિ કદી પણ સ્થાન આપે નહિ.”
સતપુરુષનો આત્મા આ જગતમાં ઈદ્રિયદમન વગેરે કરી પોતાની ઉન્નતિ કરી લેવાનો અને શરીરબંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે અને છેવટે શરીરનાશ થવાની સાથે તેનો પણ નાશ કરે એ આપણને ઉચિત જણાતું નથી. સોક્રેટીસ ફીડોમાં કહે છે કે પુરુષને આ લોકમાં દુઃખ મળે છે, દુર્જનને સુખ મળે છે વગેરે બાબતને ઉકેલ આત્માનું અમરત્વ” માન્યા સિવાય તે નથી, માટે જગતમાં જે અનુચિતતા અને અંધેરશાહીનું પ્રાબલ્ય ન હોય – તેમાંનું કાર્ય જે કંઈ સારાં તને અનુસરીને બનતું હાય – તે આત્માને અવિનાશી માનવો જોઈએ. આ જ અર્થ પ્લેટોની સત્તવવાદમાં ગર્ભિતપણે રહે છે એમ જોવેટ વગેરે પંડિતો કહે છે. દેખાવમાં હેટોને સત્તત્વવાદ છોકરવાદ જણાય છે, પણ ગુણગ્રાહક દૃષ્ટિએ જોતાં તેમાં ખરો અર્થ ઉપર કહ્યો તે હોવાનું લાગે છે. પ્રત્યેક ગુણનું ઉચ્ચતમ, શુદ્ધતમ અને પૂર્ણ સ્વરૂપ જે હોય તેને સત્તાવ કહેવું અને એવા ઉચ્ચતમ શુદ્ધતમ અને પૂર્ણ સત્તત્ત્વનો એક સ્વતંત્ર લેક છે એમ પ્લેટોએ કહ્યું છે તેને ઉપર ઉપરને શાબ્દિક અર્થ છોડી દેતાં અંદરના ગર્ભિત અર્થ એ જણાય છે કે, “આપણને જગતમાં જે દેખાય છે તે અપૂર્ણ, અશુદ્ધ અને સદેષ છે; પણ એ અપૂર્ણત્વ, અશુદ્ધત્વ અને સદેવત્વ હંમેશનું નથી એવી આપણી શ્રદ્ધા છે. આપણા આત્માને શુદ્ધતા અને પૂર્ણતાની આકાંક્ષા છે અને એ આકાંક્ષા જો કે આ જગતમાં સફલ નહિ થાય તે પણ ભવિષ્યકાળમાં કિંવા પરલોકમાં સફળ થશે જ થશે.” સત્તવલોક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org