________________
આત્માનું અમરત્વ
૩૦૭ ( Nominalism) કહે છે. કૃષ્ણત્વ, શુભ્રત ઇત્યાદિ ધર્મની આપણા મનમાં કલ્પના હોવાથી તેને એક ભિન્ન મનોમય સત્યત્વ હોય છે એમ કહેનાર બીજે એક સંપ્રદાય છે. આ વાદને મનોમય સત્યવાદ (Conceptualism ) કહે છે. ત્રીજો સંપ્રદાય છે તેને મત એ છે કે, કૃષ્ણત્વ વગેરે ધમને એક પ્રકારનું સ્વતંત્ર અને સત્ય અસ્તિત્વ છે, એને આપણે સ્વતંત્ર સત્યવાદ ( Realism) કહીશું. પ્લેટો ત્રીજા સંપ્રદાયનો છે, એટલે તે માને છે કે ધર્મનું એક પ્રકારનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્લેટોએ એ ધર્મોને જ Ideas નામ આપ્યું છે અને એ નામ ઉપરથી તેને Idealist કહી શકાશે. પરંતુ તેના જેવું જ તત્ત્વ પ્રતિપાદન કરનાર લોકોને હાલમાં Realist નામ મળ્યું છે. એટલે લેટોની ભાષા પ્રમાણે Idealist હાલની ભાષા પ્રમાણે Realist છે. આ સ્થળે આપણને એક જ વ્યક્તિને પરસ્પર વિરુદ્ધ ભાસનાર નામ મળવાને વિરોધભાસાત્મક ચમત્કાર જણાઈ આવે છે. આ ભાષાવિષયક ચમત્કારનો મુદ્દો અહીં પ્રસ્તુત નથી. ઉપર જે ત્રણ સંપ્રદાય જણાવ્યા છે તેના ગુણદોષનું વિવેચન કરવાનું પણ આ સ્થળ નથી. હાલમાં એટલું જ કહેવું બસ થશે કે, અમૂર્ત વસ્તુને મૂર્ત સ્વરૂપ આપવાની લેટોની કવિત્વ વિક સ્વાભાવિક પ્રવૃત્તિને લીધે તત્ત્વદષ્ટિએ તેને સત્તત્ત્વવાદ સદોષ બન્યો છે. (૨) આત્માની કલ્પનામાં સજીવત્વની કલ્પનાને અંતર્ભાવ થાય છે તેથી આત્મા હમેશ જીવંત હોવો જ જોઈએ, તે અમર છે, એ કોટીક્રમ ખુલ્લી રીતે હેત્વાભાસાત્મક છે. ફ્રેંચ તત્ત્વવેત્તા ડેકાર્ટ એવા જ પ્રકારના એક કોટીક્રમથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. “ઈશ્વર છે, કેમકે ઈશ્વરની કલ્પના એટલે પૂર્ણત્વની કલ્પના અને પૂર્ણત્વમાં અસ્તિત્વ ગુણ આવી જ જાય છે. ઈશ્વરને જે અસ્તિત્વ નહેાય તે “અસ્તિત્વહીન – અપૂર્ણ ઇશ્વર' એ વિસંગત અને અશક્ય કેટીની કલ્પનાને સ્વીકાર કરવાની આપત્તિ આવે. એ આપત્તિ ટાળવા માટે ઈશ્વર છે એમ કહેવું જ જોઈએ.” આવા કટીક્રમમાં પણ ગુણગ્રાહક ટીકાકાર ઊંડે અર્થ જોઈ શકે છે,– કિંવા તેવો અર્થ ઉપજાવે છે. પણ હમણું આપણે દેખીત અર્થ સ્વીકારીને જ વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org