________________
૩૨
નીતિશાસ્ત્ર પ્રવેશ શિષ્યોની ગુણગ્રાહકતામાં ભેદ હોવાથી પ્રત્યેકને વિદ્યારૂપી ફલની પ્રાપ્તિ ભિન્ન પ્રમાણમાં થાય છે. આ જ ન્યાય તદ્દન સાદા જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ લાગુ પડે છે. કાગળ, ખડિયો, ટેબલ વગેરે વિષય જેમ માણસનાં નેત્ર સમક્ષ હોય છે તેમ આયનાની સમક્ષ હશે; પણ આયનામાં પ્રતિબિંબ ગ્રહણ તેમજ ધારણ કરવાની શક્તિ હોવા છતાં “આ કાગળ, આ ખડિયે, આ ટેબલ’ એવું ભેદવિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ નથી. માણસમાં એવા પ્રકારની સ્વાભાવિક ગ્રહણશક્તિ હોવાથી જ તેને જ્ઞાન થાય છે. આ સ્વાભાવિક ગ્રહણશક્તિ સ્વીકારવાનો એવો અર્થ નથી કે માણસ સાહજિક બુદ્ધિથી જ કેટલીક વાતે સમજી શકે છે, કિંવા પૂર્વજન્મ થયેલા જ્ઞાનની સુણાવસ્યા જ સ્વાભાવિક ગ્રહણશક્તિ છે. કારણ, “જ્ઞાન એટલે સ્મરણ” એ તત્ત્વ જે માન્ય કરવામાં આવે તે તદ્દન પ્રથમના જન્મમાં જે જ્ઞાન થયું હશે તેની કારણમીમાંસા કેવી રીતે થઈ શકશે? પહેલામાં પહેલા જન્મ થયેલા જ્ઞાન વિષે સ્મરણની વાત કરી જ શકાય તેમ નથી, કેમ કે તે પહેલાં જન્મ જ નહિ હેવાથી “આગળના જન્મના જ્ઞાનનું સ્મરણ થવું સંભવનીય જ નથી!
ઠીક, “જ્ઞાન એટલે સ્મરણ” એ તત્ત્વ જે ખરું માનીએ તે તેથી આત્માને પૂર્વજન્મ સિદ્ધ થઈ શકે પણ અમરત્વ શી રીતે સિદ્ધ થશે? લેટે આ આક્ષેપથી અજાણ ન હતું અને તેણે
* યુરોપિયન તત્વોના ઈતિહાસમાં “માણસના મનમાં કેટલીક કલ્પનાઓ સ્વભાવસિદ્ધ (Innate Ideas ) હોય છે” એમ કહેનાર એક પંથ તથા “માણસનું સર્વ જ્ઞાન આ લેકના અનુભવ પર જ અવલંબિત હોય છે” એમ કહેનાર, એક રીતે પરસ્પર વિરુદ્ધ – બે પંથ છે અને તે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં નજરે પડે છે. લાયબનિટ્સ (Leibnitz), કેન્ટ વગેરે પહેલા સંપ્રદાયના છે અને હ્યુમ, મીલ, સ્પેન્સર વગેરે વિરુદ્ધ પક્ષના છે. પ્રત્યેકના તત્વમાં છેડો થોડો ભેદ છે; પણ તેનું વિવેચન કરવાનું આ સ્થળ નથી. તેવી જ રીતે તેમાં તથ્થાંશ કેટલું છે તે કહેવાનું સ્થળ પણ નથી. તથાપિ ઉપરના વિવેચનમાં આ સંબંધમાં થોડું દિગદર્શન કરેલું જણાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org