________________
૩૮૬
નીતિશાસ્ત્રપ્રવેશ જે અધિક સૂક્ષ્મદષ્ટિ (માનસિકદષ્ટિ) પ્રાપ્ત થયેલી હોય અને હાલમાં આ લોકના મોટા મેટા શાસ્ત્રોથી પણ ગૂઢ અને અગમ્ય રહેલ તત્ત્વ જે તે સમજી શકતા હોય તે તેમણે એ તત્વ
આ લોકના માણસને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ યત્ન જે યશસ્વી થાય તે આપણને બે પ્રકારનો લાભ થાય. એક તે ગૂઢ તવ સમજાય અને બીજું ભૂતની અસ્તિત્વ વિષે ખરી ખાતરી થાય. આજે મોટા મોટા શાસ્ત્રો પણ જે શોધ કરી શકયા નથી તે જે કાલે મિસિસ પાયપર જેવી સ્ત્રીના અંગમાં આવેશ આવ્યા પછી કાગળ પર લખાઈ જાય તે એવા સિદ્ધાંત ભૂતે જ લખ્યા છે એમ માનવાની ફરજ પડે, કારણકે આ લેકના કોઈ પણ શાસ્ત્રજ્ઞના મનમાં તે શોધની માત્ર ક૯૫ના હેત તે પણ તેણે તે પ્રથમ પ્રસિદ્ધ કરી હોત. અથત અતીન્દ્રિયસંવેદનાથી એ શોધ તે સ્ત્રીના જાણવામાં આવ્યાનું કંઈ કહી શકાત નહિ. નિદાન એવા અતિ ગહન અને અતિ ગૂઢ અનેક સિદ્ધાંત જો તેના દ્વારા જાણવામાં આવે તે અતીન્દ્રિયસંવેદનથી એ સર્વને માંડી વાળવાની વાત મુશ્કેલ થઈ પડે. પરતું સંચારલેખનના હજારો પત્ર બહાર પડે છે પણ તેમાં ઘણાખરા કરવાદી વિચાર હોય છે. ડહાપણજ્યો તે ચેડા જ જાય છે. ભૂતને આ લેકના માણસ સાથે છોકરવાદી, એટલું જ નહિ પણ ઉછાંછળી વાતે જ કરવાનું મન કેમ થાય છે તે સમજાવું મુશ્કેલ છે. પરલેકવાસી આમાં જે ગહન તનું જ્ઞાન આપતા હોય તે કેવું સારું ! પરંતુ અદ્યાપિ તેવું કંઈ બન્યું નથી તે આપણું અને તેમનું કમભાગ્ય જ છે ! *
* તેમનું કમભાગ્ય કહેવાનું કારણ એ છે કે, તે જ્યાં સુધી એવું કંઈ નહિ કરે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકશે નહિ. આપણું કમભાગ્ય કહેવાનું કારણ એ છે કે, તે વિના તેમનું અસ્તિત્વ ખાતરીથી માની શકાય તેમ નથી અને તેમના દ્વારા આપણને ઉપયોગી શેપને લાભ મળતો નથી. કદાચિત્ આપણને જ્ઞાન આપવાનું તેમને માટે અશક્ય હશે અથવા તેમ કરવામાં અતિ મુશ્કેલી હશે. તેમને સ્કૂલ દેહ નષ્ટ થવા છતાં સૂમદેહ અને વાસના પણ રહે છે જ, એટલે કદાચિત આપણને કલ્પના થાય છે તેવું ગહન જ્ઞાન તેમને પ્રાપ્ત થતું નહિ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org