________________
આત્માનું અમરત્વ
૩૮૧ પ્રકારની વાતોમાં ભૂતની મધ્યસ્થીની વાત એ શોધકે કિંવા અન્ય કોઈ કરતું નથી. એક માણસના મનમાં જે વિચાર સહજ આવેલા હોય છે કિંવા પ્રયત્નથી આણેલા હોય છે, તે સેંકડો માઈલ દૂર રહેલા માણસને તે જ અરસામાં અતીકિય રીતે સમજાય છે, એ બાબતનાં અનેક વિશ્વાસ રાખવા જેવાં દૃષ્ટાંત છે. આ વાક્યમાંને “અતીંદ્રિય શબ્દ મહત્વનો છે તેવી જ રીતે સહજ આવેલ કિંવા પ્રયત્નથી આણેલા વિચાર’ એ વાક્ય ધ્યાનમાં રાખવા જેવું છે. “અતીંદિય” કહેવાનું કારણ એટલું જ છે કે અન્યના મનના વિચાર ભાષણ, પત્ર, તાર, બિનતારી સંદેશ, ચર્ચા, ઈશારત વગેરે પરથી ઓળખી શકાય છે; પણ ઘણા ગાઉ દૂર રહેલા માણસને વિચાર ઈન્દ્રિયગોચર માર્ગે નહિ પણ કોઈ અતીન્દ્રિય રીતે જે જાણી શકાતા હોય છેને તે મહાન ચમત્કાર જ સમજવો જોઈએ અને એવા અનેક ચમત્કાર થયાનાં દષ્ટાંત છે.
આ સંબંધમાં મિસ માઈલ્સ અને મિસ રેમ્સડેને કરેલા પ્રયોગ ધ્યાનમાં રાખવા જેવા છે. મિસ માઈલ્સ લંડન શહેરમાં હતી અને મિસ રેમ્સડેન ત્યાંથી ૨૦ માઈલ દૂર એક ગામમાં રહી હતી. બન્ને વચ્ચે એવું હ્યું હતું કે અમુક એક વખતે એકે મન સ્વસ્થ કરી શાંત બેસી રહેવું અને બીજીએ તે જ સમયે પિતાની સખીના મનમાં અમુક એક વિચાર ઉત્પન્ન કરવાના હેતુથી તે વિષે બને તેટલા નિશ્ચયે એકાગ્રતાપૂર્વક વિચાર કરવા. અને બનેએ એ વખતે પિતાના મનમાં કયા વિચાર આવ્યા હતા તેનું ટાંચણ કરી રાખવું. આવા પ્રકારના અનેક પ્રયોગ કરી જોયા પછી તેમને જણાઈ આવ્યું કે મિસ રેમ્સડેનના મનમાં આવેલા વિચાર અને તેની સખીએ એકાગ્રચિત્તે જેલા વિચાર ઘણી વખત મળતા આવ્યા છે. અર્થાત તે વખતે અતીન્દ્રિય રીતે વિચારસંક્રમણ થયું હતું. આ વિચારસંક્રમણ કિવા સહસંવેદન એક પ્રકારનાં મોજાંના યોગથી કિવા ગમે તે યોગથી થયું હોય પણ તેમ થાય છે એ વાત નિઃસંશય છે. આ પ્રયોગમાં બીજી એક મઝાની વાત એ બની હતી કે, મિસ માઈલ્સના મનમાં સ્વાભાવિકપણે આવી ગયેલા વિચાર જેવા વિચાર તેની સખીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org