________________
૩૭૮
નીતિશાસ્ત્ર પ્રવેશ (કિંવા મરણ સમયે કિંવા તે પહેલાંના થોડા કાળ પર તેના શરીર પર હતા તેવા પ્રકારનાં) જણાય છે. માણસના મરણ પછી તેના અશરીરી આત્માને સુધ્ધાં કપડાંની જરૂર હોય એ ચમત્કાર જેવું જ છે, અને તેના સૂક્ષ્મ દેહને કપડાંની જરૂર હોવાનું માનીએ તે તે સૂક્ષ્યદેહને ઈહલેકના જેવાં કપડાં ક્યાંથી મળે છે ? તેનાં કપડાનો પણ સુદેહ હોય છે કે શું? શરીર બાળી દીધા પછી પણ માણસને સૂક્ષ્મદેહ અને આત્મા જીવતે હોય છે અને તે આપણને ભૂતપિશાચાદિક રૂપે દેખાય છે એમ માનવામાં આવે છે, તે જ પ્રમાણે કપડાં બાળી દીધા પછી પણ કપડાંને સૂક્ષ્મદેહ તથા આત્મા જીવતો રહે છે અને ભૂતનાં શરીર પર નજરે પડે છે એમ માનવું કે શું? ટૂંકામાં મુદ્દે સમજાય તે સારુ આવી વિવેદી ભાષા વાપરી છે. અભિપ્રાય એ છે કે, જ્યારે ભૂતના શરીર પર પૂર્વનાં કપડાં જેવાં જ કપડાં વગેરે કદી કદી જણાય છે ત્યારે ભૂતનું દશ્ય જે કે ખરું હશે પણ ભૂત ખરું ન હોઈ સિનેમાના પડદા પર જેમ હાલતાં ચાલતા છાયાચિત્ર જણાય છે તેમ પ્રેક્ષકને સ્મૃતિપટ પર મને હેરેલાં અને ચલાવેલાં છાયાચિત્ર જ હેવાનું માનવામાં આવે તે તે શકય છે. માણસનું મન એક અતિ વિલક્ષણ વસ્તુ છે. એ મન નિદ્રામાં રંકને રાજા બનાવે છે, ઝૂંપડીને મહેલ બનાવી દે છે, સેંકડે સપ ઉત્પન્ન કરે છે, તેને મારી નાખે છે, પુનઃ જીવતા કરે છે વગેરે વગેરે જાદુગરના ખેલ કરતાં પણ વિલક્ષણ ખેલ કરી બતાવે છે. માણસ સારી રીતે જાગૃત હોય છે તે પણ કેટલીક વખત મન તેને ફસાવી દે છે. ઘણાને એવો અનુભવ હશે કે, દષ્ટિ વિષયક ભાસ થવાથી આબેહૂબ પિતાના મિત્ર જે અવાજ સંભળાય છે. અને પ્રત્યક્ષ જીવતા માણસનું પણ ભૂત દેખાયાનાં દષ્ટાંત માનસશાસ્ત્ર શોધકોના રિપોર્ટમાં જ હોવાથી કદી કદી મને ખાટાં ભૂ ઉપન્ન કરે છે એ વાત તેમને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી
(ખ) સર ઓલિવર લોન વગેરે શાસ્ત્રનો “આ લેકમાં જીવતા માણસો પિતાના મૃત મિત્રો સાથે સંભ પણ કરી શકે છે એ વાત શક્ય છે', એમ જણાવે છે તે વિષેને પુરાવો અધિક સબળ છે. તે સંશયીને ખાતરી આપવાને પૂરતો નથી; તથાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org