SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ આમાનું અમરત્વ સિદ્ધાંત સ્વીકારવા જ જોઈએ, એમ ઠરતું નથી. નિરાભિમાનીની ખુલ્લા દિલે કબૂલ કરવાની ફરજ છે કે, તે ખરા હેવાને સંભવ છે; પરંતુ ખરા જ છે” એમ કઈ સંશયર કે અતિચિકિત્સક માણસ પાસે કહેવડાવવા જેટલી શક્તિ તેના પુરાવામાં નથી. એ પુરાવાનું તદ્દન ટૂંકામાં દિગ્દર્શન કરી તેનું સંક્ષિપ્ત પરીક્ષણ કરીશું. (ક) કબૂલ કરવું પડશે કે, “ભૂત” પ્રત્યક્ષ જણાયાનાં વિશ્વાસ રાખવા જેવાં દષ્ટાંત છે ખરાં. માનસશાસ્ત્ર સંશોધક મંડળના રિપોર્ટમાં જણાવેલી ઘણી વાતે વિશ્વાસને પાત્ર હોવાનું માન્ય કરીએ તો પણ આપણે જેને ભૂત કહીએ છીએ અને જે ભૂત સમાન જણાય છે, તે ખરેખર ભૂત જ છે કે પ્રેક્ષકના મનને ખેલા છે, એ મહત્ત્વને પ્રશ્ન અનિશ્ચિત રહે છે જ. ભૂતની વાતો બેટી નથી, પણ તેને અર્થ ભિન્ન ભિન્ન માણસે ભિન્ન ભિન્ન રીતે કરે છે. કેટલાક કહે છે કે મૃત માણસ જેવી દેખાતી મૂર્તિ તેના આપ્તવર્ગની કિંવા મિત્રોની દષ્ટિએ કેટલીક વખત પડે છે, એને અર્થ ભૂત નથી. તે તે પ્રેક્ષકની વિશિષ્ટ મનઃસ્થિતિથી એક પ્રકારનો થયેલો ભાસ છે. આ વાત તદ્દત પોકળ નથી. કેમકે મૃત માણસનાં ભૂત જણાય છે તેવાં જ જીવતા માણસનાં ભૂત પણ દેખાય છે! એને અંગ્રેજીમાં Phantasms of the living કહે છે. એકાદ જીવતે માણસ એક સ્થળે હોવા છતાં તેના જેવી જ મૂતિ તે જ સમયે અન્ય સ્થળે નજરે પડ્યાનાં વિશ્વાસ દૃષ્ટાંત છે. એક વ્યકિત બે સ્થળે હે અશક્ય છે. તેથી અન્ય સ્થળે જણાયેલી મૂર્તિ જોનારના મનમાં કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલી હોવી જોઈએ અને તે અંતઃસ્થ માનસિક મૂતિને કંઈ વિલક્ષણ તથા અજ્ઞાત કારથી બાહ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું હોવું જોઈએ, એવા તક થાય તે તદ્દન અગ્ય કહેવાય નહિ એ તે કેને બીજો એક આધાર એ છે કે, જેને આપણે ભૂત કહીએ છીએ તેના શરીર પર કપડાં જણાય છે અને એ કપડાં જે માણસનું ભૂત હોય છે તે જીવિતાવસ્થામાં જે રીતે પહેરતા હતા તે રીતનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy