________________
૩૭૬
નીતિશાસ્ત્રપ્રવેશ છે અને બાકીના માટે અન્ય પ્રમાણને વિચાર થવાની આવશ્યકતા હોય છે એટલું કહી હવે પ્રમાણના પ્રશ્ન તરફ વળીશું.
અનુમાન
આધુનિક શાસ્ત્રીય શોધ અને આત્માનું અમરત્વ
મરણ કંઈ આત્માને અંત નથી” એવા અર્થમાં વિધાન આધુનિક આધિભૌતિક શાસ્ત્રીઓના મુખમાંથી બહાર પડે છે ત્યારે તેને જે વિશ્વસનીયત્વ પ્રાપ્ત થાય છે તે હાલના સામાન્ય માણસની દૃષ્ટિએ તાવિક અનુમાનને કદી પણ પ્રાપ્ત થશે નહિ. હાલમાં સામાન્ય જનમાં તત્ત્વો વિષે અનાદર ઉત્પન્ન થયેલું છે. ઘણાને તાત્ત્વિકવાદ શબ્દછળ અથવા શબ્દજાળ લાગે છે; છાંયે આધિભૌતિક શાસ્ત્રવેત્તાઓના ચમત્કારિક સિદ્ધાંત સુધ્ધાં તેમને આદરણીય અને ગ્રાહ્ય લાગે છે. રસાયનશાસ્ત્ર અને અન્ય આધિભૌતિક શાસ્ત્રોના મતને વેદવાકય માનનાર પુષ્કળ છે. અને એથી જ સર ઓલિવર લોજ પ્રભૂતિ શાસ્ત્રવેત્તાઓએ “આ લેકને માણસ મૃત આપ્તજનો સાથે કદી કદી સંભાષણ કરી શકે છે અને એ વિષે પિતાની ખાતરી થયેલી છે' એવું ભરસભામાં ખુલ્લી રીતે શાસ્ત્રોની સામે કહી બતાવવાનો કિંવા તેવા આશયને લેખ લખવાને ઉપક્રમ શરૂ કર્યો છે ત્યારથી “ભૂત વગેરે વાતમાં કંઈ પણ તથ્ય છે ખરું!” એવા ઉદ્ગાર સંભળાવા લાગ્યા છે માનસશાસ્ત્ર સંશોધક મંડળ (Psychical Research Society) નો રિપેર્ટ વાંચનારને ભૂતપિશાચ દિકને અનેક પ્રકારની વાતનું શાસ્ત્રીય ચિકિત્સક પદ્ધતિ અને પ્રગથી પરીક્ષણ થયેલું જણાય છે અને તેમાંની કેટલીક વાતો તે સત્ય માનવી જેવી લાગે છે. સીજવિક, માયર્સ, હડસન, ડબલ્યુ. ટી ટેડ વગેરે વિદ્વાન, એ કકસ અને ચિકિત્સક માણસે પણ જ્યારે એ વાતો ખરી માનવા જેવી લાગે છે ત્યારે એ વિષે શંકા કરવી તે પિતાની બુદ્ધિનું મિથ્યાભિમાન રાખવા જેવું છે એમ પ્રથમ દર્શને લાગે તે આશ્ચર્ય જેવું નથી.
પરંતુ તેમના પ્રસિદ્ધ થયેલા પુરાવાને આપણી બુદ્ધિના ત્રાજવામાં નાખી શાન્ત રીતે વજન કરી લેતાં ન્યાયદષ્ટિએ તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org