________________
આત્માનું અમરત્વ
૩૭૫ રીતે જ સત્ય લાગે તેમ છે. જેની ખ્રિસ્તી ધર્મ પર અંત: કરણપૂર્વક શ્રદ્ધા છે, જેને બાયબલને અક્ષરેઅક્ષર સાચે લાગે છે, તેને ક્રાઈસ્ટ કોસ પર ચઢી મરણ પામ્યા પછી ત્રણ દિવસે પુનઃ ઊઠયા અને પિતાના શિષ્યોને મળ્યા, એ વાત કિવા મરણ પામેલા ખ્રિસ્તી કેટલાક કાળે કબરોમાંથી નીકળી દેવ પાસે ઊભા રહેશે, એ વાત શ્રદ્ધેય લાગે તે નવાઈ જેવું નથી. જેને ભગવદ્ગીતા વેદવાક્ય જેવી જ લાગે છે તેને અજુનને શ્રીકૃષ્ણ કહેલું “મારા અનેક જન્મ થઈ ગયા છે અને તારા પણ અનેક જન્મ થયેલા છે.' કિંવા “આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશષ્ય, સનાતન, અવિનાશી, અમર છે,’ એ તત્વ સ્વાભાવિકપણે જ સત્ય લાગશે. એની બિસેટ, લેડબીટર વગેરે પર જેઓ પૂર્ણ શ્રદ્ધા રાખે છે તેમને અમુક માણસ પૂર્વ જન્મમાં પ્લેટ હતો, અમુક સોક્રેટીા હતા, ત્રીજો બુદ્ધ હતિ વગેરે વિધાન, કિવા અમુક ઋષિ અમુકના શરીરમાં પ્રવેશ કરનાર છે વગેરે વિધાન ઉપર્યુક્ત વ્યક્તિએ કર્યો હશે તે તે સશયાતીત કોટીનાં લાગશે. આ અને આવા લેકને સ્વમતપુષ્ટિ અર્થે અન્ય પ્રમાણે મળે તે તે ઘણું જ સારું; પણ ન મળે તે તેમને કંઈ ખામી પણ જણાવાની નથી.
પરંતુ તેમના જેવી અચલ શ્રદ્ધા નહિ ધરાવનારાઓના મનનું માત્ર આપ્તવાક્યથી સમાધાન થવા જેવું નથી હોતું. તેમને અન્ય પ્રમાણની અપેક્ષા હોય છે. તેઓ આપ્તવાક્ય પ્રત્યે તદ્દન નિરાદર દર્શાવતા નથી, તથાપિ તેઓને મોટાઓના વિચાર માત્ર ગ્રાહ્ય હોય છે એમ લાગતું નથી અને તેથી જ તેઓ કોઈ પણ મત નિશ્ચિતપણે ગ્રાહ્ય માનતા પૂર્વે બને તેટલી રીતે તેનું પરીક્ષણ કરે છે. તેઓ આનંદથી કહેશે કે, જ્યારે મોટા મોટા અને રાણા પુરુષો અમુક અમુક મતને પુષ્ટિ આપે છે ત્યારે તે ખરું હેવાને સંભવ છે. પણ તે પેટે હેવાને અસંભવ તો નથી જ એ શબદ તરત જ તેઓ વાપર્યા સિવાય રહેતા નથી. સ્થિતિ આવી હોવાથી આત્માના અવિનાશી પણ વિષેનાં આપ્તવાક્ય કેટલાક વિશિષ્ટ જેને માટે જ પૂર્ણ રીતે સમાધાનકારક હેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org