SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ શાસ્ત્રજ્ઞ “અમે પરલોકના આત્મા સાથે વાત કરીએ છીએ, અમારું કથન લે એ ખરું માનવું” વગેરે કદી કદી કહે છે તેથી એ વાક્યોને આપ્તવાક્યમાં દાખલ કરી શકાશે, તથાપિ વિવેચનની સવડ માટે એ બાબતને વિચાર કરવા એક જુદું જ શીર્ષ યોજવા ધાયું છે. (૩) જન્મઃ જ દેખાઈ આવતી વિલક્ષણ શક્તિ પરથી પૂર્વ સંસ્કાર વિષે અનુમાને. (૪) લેટોનાં પ્રકીર્ણ પ્રમાણ. (૫) અમરત્વનો સિદ્ધાંત ન્યાયદાષ્ટિએ અસિદ્ધ હશે, પરંતુ નૈતિક આકાંક્ષા કિંવા પ્રેમની દષ્ટિએ તે ખરો માનવાની આવશ્યકતા હોવા બાબતના જે વિચાર છે તે. આપ્તવાક્ય ઘણાખરા દેશના લેકા માને અમર માનતા હતા અને માને છે. આ મત માણસ માત્રના રક્તમાંમાં ઓતપ્રેત થયેલ નથી, કેમકે તેમ હોત તો સર્વના વર્તનમાં તેનું પરિણામ જણાઈ આવ્યું હોત. ખરેખર જેઓ પરલોકને માને છે તેમણે આ લોકના સુખદુ:ખ પર વિશેષ આધાર વાસ્તવિક રીતે રાખ ન જોઈએ; પરંતુ ઘણાખરા આત્માનું અમરત્વ માન્ય કરવા છતાં મને મૂત કે પુનરાગમને ઉતઃ ઉિવા “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયાના ન્યાયે વર્તે છે એમ કંઈક અતિશયોક્તિ સહ કહેવાનો હરકત નથી. આ વિધાન મહાન વિચારી, બહુશ્રુત અને આત્મનિગ્રહી જનોને લાગુ પડતું નથી અને એવા માણસે આખા અમર હોવાનું કહેતા હોય તે તેમને મત આદરણીય માનવો જોઈએ. આ દષ્ટિ એ જેમાં વ્યાસ, વાલ્મીકિ, શંકરાચાર્ય, શ્રીકૃષ્ણ, જીસસ ક્રાઈસ્ટ, મહંમદ પેગંબર, પ્લેટ, પાયથેગારામ, વર્ડઝવર્થ, ટેનેસન, કાલીદાસ, સર ઓલિવર લોજ, માયર્સ, ડબલ્યુ. ટી. સ્ટેડ, હે મન, વિવેકાનંદ, રામતીર્થ, એનીબિસેંટ વગેરે નાની મોટી વિભૂતિઓએ પિતા પોતાના વિચાર પ્રમાણે જ્યારે કહ્યું છે કે આ નિવાસને અંત એ કંઈ આત્માની અંતિમ યાત્રા નથી ” ત્યારે તેને જે કે “શ્રદ્ધેય” કહેવામાં ન આવે તાપણું એ સમજુ માણસેને તે વિચાર કરવા નું તો છે જ અને એવી એકાદ વિભૂતિ પર જેની પૂર્ણ શ્રદ્ધા હોય તેને તો એ મત સ્વાભાવિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy