SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આત્માનું અમરત્વ આત્માનું અમરત્વ ખરું હોવા વિષે જે પુરાવા – પ્રમાણે આપવામાં આવે છે તેમાંના કેટલાકનું વગીકરણ કર્યા પછી વિવેચન કરવાનો આરંભ કરીશું. (૧) પહેલું પ્રમાણ આપ્તવાક્ય ” એટલે મોટા મોટા સુજ્ઞ અને વિદ્વાને “આત્મા અમર છે” એમ માનતા હતા અને માને છે માટે તે સિદ્ધાંત ખરો. (૨) આત્માના અમરત્વ વિષે હાલમાં સર ઓલિવર લેજ વગેરે લેકે તરફથી જે પ્રમાણે આપવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન કિંવા આપ્તવાક્ય એ ત્રણમાંના ગમે તે શીર્ષક નીચે આવી શકે તેમ છે; કારણકે મિસિસ પાયપર વગેરે (Mediums) દ્વારા પરલોકના આમ આ લેકના માણસો સાથે સંભાષણ કરતા હોય એમ પ્રત્યક્ષ જણાય છે – નિદાન પ્રથમ દર્શને તો તેવો ભાસ થાય છે. તેવી જ રીતે ભૂત વગેરે પણ પ્રત્યક્ષ દેખાય છે એમ કહેવામાં આવે છે. અમરત્વપણાનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. હા, આ વાતના આધ્યાત્મિક શેધક (Psychical Researchers) યુક્તિવાદની પદ્ધતિથી શોધ અને પરીક્ષણ કર્યા પછી સિદ્ધાંત ઠરાવા હોવાથી તેમના પ્રમાણને અનુમાન કહેવાને હરકત નથી, અને પર એલિવર લે જ જેવા પ્રસિદ્ધ આધિભૌતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy