________________
૩૭ર
નીતિશાસ્ત્ર પ્રવેશ જે કવિ જે જીવબિંદુમાંથી જન્મે તે ટાંકણીના અગ્ર ભાગ જેટલું સુક્ષ્મ હતું, પણ તેમાં ભવિષ્યના સર્વ ગુણ સુત હતા. અન્ય માણસના જીવબિંદુમાં પણ એ ગુણ સુત હોય છે, પરંતુ તે કવિ નથી બનતા તેનું કારણ એ છે કે તેમના કવિવાદિ ગુણ પર બાહ્ય પરિસ્થિતિનું આવરણ કિંવા ઢાંકણ હોય છે. મૂળ આત્મા સર્વગુણસંપન્ન છે, પણ સામાન્ય માણસના ઉચ્ચ ગુણ જડ શરીરના કારણે દબાઈ રહેલા હોય છે. એકાદ પિપૂડીમાંથી સર્વ સુંદર સૂર નીકળી શકે તેમ હોય છે, પણ તેમનાં બેત્રણ છિદ્રમાં બૂક કિંવા કાંકરા અટકી રહેલા હોય છે તો કેટલીક વાર સુધી તેમાંથી સૂર નીકળી શકતો નથી તેવી જ એ વાત છે. સામાન્ય માણસની જીવનરૂપી પિપૂડીમાં કેટલાક કકરા ભરાઈ રહેલા હોવાથી તે ન્યૂટન કે શેકસપિયર કે કાલીદાસ બનતા નથી. પરંતુ તેમનામાં એ શક્તિ તે હોય છે જ. આપણા વેદાંતીઓ કહે છે કે આમા ખરે જ્ઞાનસ્વરૂપ અને આનંદઘન છે પણ કર્મગતિને લીધે તેના એ ગુણ લેપ થયેલા હોય છે, તેવું જ આ તત્ત્વ છે. પણ અધિક માહિતીના અભાવે એ વિષે અધિક લખવું યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org