________________
પૂર્વકથન હવે આપણે ટૂંકામાં ધર્મનાં ઉપરોક્ત ચાર અંગને અને નીતિશાસ્ત્રને કેવો સંબંધ છે તે જોઈશું. નીતિનો ઊંડો ઊહાપોહ કર્યા પછી જેનો વિચાર કરવો પડે છે તે તત્ત્વજ્ઞાન અને ધર્મવિષયક તત્ત્વજ્ઞાનમાં વિશેષ ભિન્નતા નથી. કોઈ પણ દષ્ટિએ ઊડે વિચાર કર્યા પછી આપણે એક જ સ્થળે પહોંચીએ છીએ. દેવજ્ઞાનાત્મક ધર્મ (Theology) અને નીતિશાસ્ત્રને વિશેષ સંબંધ નથી. જે શાસ્ત્રને ધાર્મિક વિધિમાં સમાવેશ થાય છે (એટલે કહીશું કે પૂર્વમીમાંસાને), તેને અને નીતિશાસ્ત્રને પણ વિશેષ સંબંધ નથી. હા, કઈ પણ આચાર અથવા વિધિ, કિંવા કઈ પણ ધાર્મિક વિચારને વેગ્ય ઠરાવવા સારુ તે નીતિમય છે કે અનીતિયુક્ત છે તે ધારણત: જેવું જ પડે છે. પ્રત્યેક માણસ સમજી શકે તેમ છે કે, નૈતક વિકાસ થયા પછી ધાર્મિક આચાર કે વિચારમાં ઉચિત ફેરફાર થાય છે; પણ સંસ્કારની યોગ્યતા તેની
ખ્રિસ્તી વગેરે ધર્માન્તર કરી ચૂકેલા હિંદુઓને વિધિપૂર્વક શુદ્ધ કરી લેવામાં આવ્યા છે તેમને હિંદુ માનવાને કેટલાક તૈયાર છે અને કેટલાક નથી. (૩) કેટલાકનું કહેવું એવું છે કે કોઈને પણ હિંદુ બનાવી શકાય છે. (૪) જે પોતાને હિંદુ કહેવડાવે તે હિંદુ, એવો નૃસિંહ ચિંતામણિ કેળકરને મત છે. (૫) લોકમાન્ય તિલકનો અભિપ્રાય પ્રથમ નીચેના મૂક પ્રમાણે હતું :
प्रामाण्यबुद्धिर्वेदेषु साधनानामनेकता ।
उपास्यानामनियम एतद्धर्मस्य लक्षणम् ॥ પરંતુ માંડલેની જેલમાંથી મુક્ત થઈને આવ્યા બાદ “ચિત્રમય જગત” માં લખેલા લેખમાં તેમણે બીજાં વધારાનાં લક્ષણ પુરવણું દાખલ આપ્યાં છે:
धममेनं समालंब्य विधिभिः संस्कृतस्तु यः । श्रुतिस्मृतिपुराणोक्तैः क्रमप्राप्तैरथापि वा ॥ स्व स्वे कर्मण्यभिरतः श्रद्धाभक्तिसमन्वितः ।
शास्त्रोक्ताचारशीलश्च स वै हिन्दुः सनातनः ॥ (૬) વિનાયકરાવ સાવરકરને મત નીચે પ્રમાણે છે:
आ सिन्धु-सिन्धु-पयता यस्य भारतभूमिका । पितृभूः पुण्यश्चैव स वै हिन्दुरिति स्मृतः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org