________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૬૭ નથી. તે કેવળ બુદ્ધિ પર ઘસે છે અને અંત સાક્ષાત્કારનું કાવ્યાતમક ભાષામાં ગીત ગાય છે એટલું જ. તે કહેતો નથી કે પિતાને આતમજ્ઞાન થયું છે. શી રીતે પ્રાપ્ત કરવું એ વિષે પણ કંઈ કહેતું નથી. તેને આ બાબતની કલ્પના સુધ્ધાં નથી. તેના વિવેચનની ભાષા સુંદર અને સ્કૂર્તિદાયક છે, પણ સૂક્ષ્મતાથી જોતાં હાથમાં કઈ આવતું નથી. મેઘધનુષ્ય સુંદર અને મોહક હોય છે પણ તે હાથમાં આવતું નથી તેવી જ આ વાત છે. બુદ્ધિ કઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી આપતી નથી એ માન્યતા જ પહેલી ભૂલ છે. બુદ્ધિજન્ય જ્ઞાન એકાંગી હોય છે તેથી તે કોઈ વખત ભ્રમ ઉત્પન્ન કરે છે એ વાત કબૂલ છે; પણ અધિક પ્રયત્ન કરી એ જ્ઞાન સવાંગી બનાવી લેવું જોઈએ. હાથીને પગ પકડી હાથી થાંભલા જેવો છે એમ કહેનાર આંધળાને અન્ય અવયવ ભલેને પર્શ દ્વારા બતાવવામાં આવે પણ તેનું સમગ્ર સ્વરૂપ બતાવ્યાથી જ ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેને સ્પર્શથી જ્ઞાન થવાનું નથી એટલું જ કહી નાખવાથી તે જ્ઞાન તેને પ્રાપ્ત થતું નથી. ઘડીભર માની લેવામાં આવે કે, બુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિના કાર્યમાં કંઈ કામની નથી. પણ પછી શું? અંત:સાક્ષાત્કાર કોણે કઈ રીતે મેળવવું ! કીડી, મધમાખી કે ફેકસની અંતઃસ્કૃતિ આપણામાં નથી પણ તે પ્રાપ્ત કઈ રીતે કરવી ?
બીજું એ કે અંતઃસ્કૃતિને બર્ગસને આટલું બધું મહત્તવ આપે છે તે ગેરવાજબી છે. ફેસનાં કૌશલ્યની ભલે પ્રશંસા કરવામાં આવે, પણ ભૂલવું ન જોઈએ કે માળો બાંધનાર પક્ષીની અંતઃ સ્કૂતિ પણ એટલી જ પ્રશંસાસ્પદ છે. ફેકસને વ્યવહાર અપરિચિત છે માટે તે અધિક પ્રશંસાસ્પદ લાગે છે એટલું જ. તરવતઃ સર્વ અંત:સ્કૃતિ સરખી જ યોગ્યતાની છે. તેની ઉત્પત્તિ કોઈની જાણમાં નથી અને કોઈ પણ અંતઃસ્કૃતિ કૃત્રિમતાથી ઉત્પન્ન કરી શકાતી નથી. આ સર્વ પ્રકાર ગૂઢ છે, અને તેથી જ તે બગેસનને આદરણીય લાગે છે કે શું ?
સાહજિક સંસ્કૃતિથી થયેલું જ્ઞાન હમેશાં જ ભૂલ વિનાનું હોય તે જુદી વાત હતી. પણ તેવું કંઈ નથી. પતંગિયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org