________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૫૩ ઉત્પન્ન થનાર પક્ષીની જાતિ તે તે ઈડાની અંતઃશક્તિ કિંવા સ્કૃતિ પર અવલંબે છે. વૃક્ષબીજ કિંવા ઈડાની સ્થિતિ જેવી જ વૃક્ષવર્ગ કિંવા પ્રાણવના વિકાસની સ્થિતિ છે, દિનપ્રતિદિન જે અનેક વનસ્પતિવર્ગ અને પ્રાણીવર્ગને વિકાસ થતો જાય છે તે કંઈ પણ બીજગત્મ શક્તિનું પરિણામ છે. આ પક્ષ કહે છે કે, એ શક્તિને ગમે તે નામ આપ; પણ કબૂલ કરે છે એ શક્તિ પરિસ્થિતિથી ભિન્ન છે. જગતને વિકાસ કામતાલીયન્યાયે જેવો માર્ગ મળે તે થઈ જતું નથી. તેમાં વિશિષ્ટ દિશાએ વિકસન થાય તેવા પ્રકારની બીજગર્ભશક્તિ રહેલી છે. પરિસ્થિતિ કેવળ આ શક્તિનું નિયમન કરે છે એમ એ પક્ષનું કહેવું છે. તેઓ કહે છે કે વિકાસ ઉદ્દેશશુન્ય નથી પણ ઉદ્દેશપૂર્ણ છે.
“ઉદેશપૂર્વક વિકાસ” (Directed Evolution) વાક્યમાંના ‘ઉદેશ” શબ્દને અર્થ સ્પષ્ટ કરે જોઈએ. માણસ કંઈક ઉદ્દેશ રાખી કોઈનું અપમાન કરે છે કિંવા કેઈને પૈસા આપે છે, તેમ “હું આ ઉત્પન્ન કરીશ” એ ગોટલાને ઉદ્દેશ હોય છે એવું નથી. કહેવાનું એટલું જ છે કે, વિશિષ્ટ પદ્ધતિથી જ ગેટલામાં વિકાસ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી હોય છે. વિકાસ જે થશે તે એ જ પદ્ધતિથી થશે, નહિ તે નાશ પામશે. આવી આગ્રહ શક્તિને જેઓ ગૃહીત માને છે તેમને જીવશક્તિવાદી ( Vitalists ) કહેવામાં આવે છે. જીવશક્તિવાદનું સમર્થન કરનાર અનેક છે. પ્રો. હન્સ ડીસ્ક, પ્રો. રીંક, પ્રો. જે. એ. થેમસન, પ્રો. ગેડીજ વગેરે એમાં આગળ પડતા છે. જીવબિંદુમાં વિશિષ્ટ પ્રાણી નિર્માણ કરવાની શક્તિ હોય છે અને તે બિંદુ પરિસ્થિતિને નમાવી પિતાને ઉદ્દેશ પાર પાડે છે એમ બતાવવા માટે હેન્સડી નીચે જણાવ્યા પ્રમાણે પ્રયોગ કર્યો છે.
લૂટિયસ (Pluteus) નામક જીવની કેટલીક પેશી સૃષ્ટિક્રમાનુસાર વૃદ્ધિ પામ્યા પછી તેમાંની કેટલીકને તેણે મારી નાખી, તેથી તે જીવના કેટલાક અવયવ નષ્ટ થવા જોઈતા હતા પણ તેવું કંઈ બન્યું નહિ. બાકી રહેલી પેશીઓએ પોતાના બળથી
૨૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org