________________
૨૫૨
નીતિશાસ્ત્રપ્રવેશ કામ માળી જેવું છે. અથોત તે એકાદ બે ઝાડ કિંવા વેલા ઉમેડી નાખે, એકાદની ડાળી તોડી પાડે, એકાદની વેલ નમાવે અને અન્યને વિશિષ્ટ મંડપ કે ઝાડ પર ચઢાવે. માળી બીજગર્ભશક્તિ નિર્માણ કરી શકતા નથી. અર્થાત પાન, ફૂલ વગેરે ઉપજાવી શકતો નથી, બહુ તે પસંદગી ના પસંદગી કરી બાગની રચના થોડીઘણી ભિન્ન બનાવે છે. આ પ્રમાણે જ પરિસ્થિતિરૂપી દેવ અનુરૂપ ગુણ ધરાવનારી વનસ્પતિ અને પ્રાણીને મારી નાખે છે તથા તેનું ધોરણ સંભાળી ચાલનારને સંભાળી રાખે છે તે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને સુધ્ધાં નિર્માણ કરી શકતી નથી. એકાદ પ્રાણીવર્ગને વિકાસ થવા લાગ્યા પછી જેમ ઝાડને આપે આપ ડાળાંપાંખડાં ફૂટે છે તે સ્વાભાવિકપણે ભિ ગુણવાળી વ્યક્તિ ઉત્પન્ન થાય છે. આ ભિન્ન ગુણવાળી વ્યક્તિઓ પૈકી જગતના ઉદ્યાનમાં કઈ વ્યક્તિ રાખવી અને કઈને ઉછેદ કરે તે પરિસ્થિતિરૂપ માળીના સ્વાધીનમાં હોય છે. જીવનયુદ્ધમાં જે ગુણ ઉપયોગી હોય છે તે ગુણ ધરાવનારી વ્યક્તિ પરિસ્થિતિને ગમે છે અને અન્યને તે મારી નાખે છે, પિતાને પસંદ એ. જાતિની વૃદ્ધિ કરે છે. વનસ્પતિ અને પ્રાણીવર્ગને વિકાસ આ જ પદ્ધતિએ થયો છે.
પીપળાના બીજને જુઓ. એ નાના બીજમાંથી પીપળાનું જ વૃક્ષ બને છે અને વડનું કેમ નથી થતું? કેરીને ગોટલે ભૂમિમાં દાટવાથી આંબે જ કેમ ઉત્પન્ન થાય છે? પરિસ્થિતિ ગમે તેવી હૈ, કેરીને ગોટલામાંથી તે પીપળો ઉપજાવી શકવા સમર્થ નથી. પરિસ્થિતિ અનુકૂળ હોય છે તે ઝાડ સારું ફાલે છે અને ખરાબ હોય છે તે ચીમળાઈ મરણ પામે છે. આ રીતે પરિસ્થિતિ ક્યા ઝાડ કે પ્રણને બચાવવું તે નક્કી કરે છે એ કબૂલ છે; પણ નિર્માણ કરવાનું તેના હાથમાં નથી. કેરીના ગોટલામાં બે જ નિર્માણ કરવાની શક્તિ છે માટે તે ઝાડ ઉત્પન્ન થાય છે. પરિસ્થિતિને લીધે નહિ. કેટલાંક પહલીનાં ઈંડા એકસરખાં દેખાય છે; પણ પ્રત્યેકમાં ભિન્ન પ્રકારનાં પક્ષી ઉત્પન્ન કરવાનું અંતઃસામર્થ્ય હોય છે, પરિસ્થિતિ ચિડાશે તે કેટલાંક ઈંડાને મારી નાખશે અને કેટલાંકને બચાવશે; પણ એ ઈંડામાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org