________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૫૧ વિકાસવાદને નવીન પદ્ધવ વિકાસવાદ સબંધ વિકાસ પામતો જાય છે અને દિનપ્રતિદિન તેને નવીન પાંખડીઓ ફૂટતી જાય છે માટે તેને પણ
કામાં ઉલ્લેખ કરવાની જરૂર છે. લામા વગેરે આરંભના વક સવાદીઓનું કહેવું એમ હતું કે, પરિસ્થિતિરૂપી દેવ પ્રાણીઓને વિકાસ ઉપજાવે છે. પ્રત્યેક પ્રાણી પર પરિસ્થિતિની કઈ પણ અસર થાય છે અને તેને કંઈ પણ ટેવ પડે છે. (દાખલા તરીકે, કંઈક કારણથી નીચાં ઝાડ નાશ પામવાથી ઊંચા ઝાડને પલ્લવ ખાવા માટે ગરદન ઊંચી કરવાની મૃગની ટેવ.) આ ટેવ આનુવંશિક સંસ્કારથી બાળકમાં ઊતરી દતર બને છે. તેમની જે ઉપયોગી હોય છે તે તે પ્રાણીને જીવન સંગ્રામમાં વસંરક્ષણ માટે સહાય કરે છે અને તેની પ્રગતિ થાય છે. બની જ ટેવ પામેલાં પ્રાણું મરણ પામે છે. પરિસ્થિતિ વારંવાર બદલાતી હોવાથી પ્રાણી શરીરમાં અનેક અનુરૂપ ફેરફાર થાય છે અને ભિન્ન ભિન્ન પ્રાણીની ઉત્પત્તિ થાય છે. આ મત પ્રમાણે મૂળભૂત જીવનરસ સાકરપાક જેવો હતો અને એ રસને હરેક પ્રકારનો આકાર પરિસ્થિતિરૂપી કંદોઈએ આપે. હોળી માવે છે એટલે કે દેઈ સાકર પાકને “હારડ નું સ્વરૂપ આપે છે, તાબૂત આવે છે એટલે પતાસાં અને રેવડી બનાવે છે, વખતે ઘેડ, બળદ વગેરે બનાવે છે, સંક્રાંતના સમયે તિલગુળ બનાવે છે અને બાકીના પ્રસંગે પેંડા, બરફી વગેરે બનાવે છે. કોઈ પૈડા જ બનાવે છે, કઈ પીળી બરફી કરે છે, કોઈ રંગીન ઘેડ બળદ વગેરે બનાવે છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રસંગ અને પરિસ્થિતિ પ્રમાણે જીવનરસને ભિન્ન રૂપ, આકાર, રંગ વગેરે પ્રાપ્ત થયેલ છે.
કેટલાક કાળે કેટલાક વિકાસવાદીઓને એવું લાગ્યું કે, વિકાસવાદે પરિસ્થિતિનું જે મહત્ત્વ વધાર્યું છે તે વધારે પડતું છે. જેમ વૃક્ષની વૃદ્ધિ આપોઆપ થાય છે, પાન, ફૂલ, ફળ જેમ બીજગર્ભ શક્તિને લીધે આપ આપ ફૂટે છે તેમ જીવનરસનો વિકાસ થઈ તેને ભિન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બહુ બહુ તે પરિસ્થિતિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org