________________
નીતિશાસ્ત્ર પ્રવેશ રીતરિવાજનું મિથ્યાભિમાન વધારી તથા તેને ઈશ્વર અથવા સર્વોત્તમ, સનાતન સ્વરૂપ આપી સુધારામાં અવરોધ કરવો એ યોગ્ય નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે, એને અભ્યાસ ચાલતી રૂઢિ યોગ્ય કારણ વિના તેડવા કે ફેરવવા ઉત્સુક થશે નહિ. કેમકે એ રૂઢિ કોઈ પણ ગ્ય કારણથી જ પ્રાંતમાં, દેશમાં કે જાતિમાં રૂઢ થયેલી હતી અને એ કારણે અદ્યાપિ પણ અસ્તિત્વમાં હોવાનો સંભવ છે એમ તે જાણ હોય છે. અર્થાત્ આગળ પાછળને લાંબો વિચાર કર્યા વિના તે રૂદ સામે બંડ ઉઠાવતો નથી.
ત્રીજી વાત એ છે કે, સુખની ઇચ્છા રાખવી એ પાપ છે એવા પ્રકારની (ઘેડા જ) લોકાની જે કલ્પના હતી તે વિકાસવાદે કેટલાક અંશે દૂર કરી છે. આ પુસ્તકમાં વારંવાર બતાવ્યું છે કે, “સુખ જ માણસનું બેય હાય છે' એ સમજ કે અભિપ્રાય ભૂલભરેલ છે. પરંતુ સ્પેન્સરે જીવનક્રમમાં સુખની ઉપયોગિતા બતાવી છે તે મનનીય છે. કેટલાંક સુખ માનવ જીવનને આવશ્યક છે. દાખલા તરીકે, તૃષા કે સુધા લાગી હોય છે ત્યારે અન્નપાણીના સેવનથી માણસને જે સુખ મળે છે તે સુખનો ઉપભોગ લેવામાં પાપ નથી જ, ઉલટું તે જીવનસંવર્ધક છે. પાપ ત્યારે જ ગણાય કે તૃષા કે સુધા નહિ હોવા છતાં
ફાલે લુપતાથી તે સુખની આકાંક્ષા રાખી પ્રકૃતિને અપાયકારક તામસી ખાવ કે પય લેવામાં આવે. રમતગમત, ગપસપ વગેરેનું સુખ પણ એવી જ રીતે એક અર્થમાં આવશ્યક અને ઈષ્ટ હેઈ બીજા અર્થમાં અપાયકારક અને નિંઘ છે, “મુખ ” એ સુખ છે માટે તેને ખરાબ માનવાને કારણું નથી. તે વિશિષ્ટ પરિસ્થિતિમાં જ નિધ છે. સુખ કેવી રીતે આયુવ્યવર્ધક હોય છે તે વિષે વિકાસવાદીઓએ વિવેચને કરેલું હોવાથી હવે એ તત્ત્વ ઘણાખરાને માન્ય થયેલું છે. વિકાસવાદી છે કે એ આ તત્વને જે સાર્વત્રિક સ્વરૂપ આપ્યું હતું તે ભૂલભર્યું હતું એમ માનેએ તોપણ એ તો સ્વીકારવું જ જોઈએ કે સુખનું તિક મહત્વ વિકાસવાદે જ વધાર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org