________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કરીએ તોપણ “આગળ સુધ્ધાં અમારે સ્વસુખપ્રાપ્તિ એ જ પુરુષાર્થ છે એમ માનવું” એ અનુમાન ન્યાયદષ્ટિએ સિદ્ધ નથી. તેવી જ રીતે જીવનકલહમાં માણસ સિવાયની સર્વ ચરાચર પૃથ્વી પિતાપિતાને પ્રાણ બચાવવાને તત્પર હોય અને “અન્યને ઠાર કરી સ્વરક્ષણ કરવાનો” જીવનક્રમ અન્ય સર્વના વર્તનમાં જણાઈ આવતું હોય તે પણ પૃથ્વીને એ ન્યાય ન્યાય જ કિવા અનુકરણીય છે એમ શા ઉપરથી કહેવું? માનવ આત્માને ઉચ્ચતર ધ્યેયની કિંવા પુરુષાર્થની કલપના હોય અને એ ધ્યેય કિવા પુરુષાર્થ તેને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોય તો તેણે ઉચ્ચતર ધ્યેય માટે જીવન સુધી પ્રયત્ન કેમ ન કરે તેને ખુલાસે વિકાસવાદથી થઈ શકતો નથી. ષ્ટિને ન્યાય અને સુસંસ્કૃત માણસનો ન્યાય એક નથી તે બાબતનું અન્યત્ર વિવેચન થયેલું છે જ. આ ભિન્ન ન્યાય પિકી માણસ પોતાના ઉચ્ચતર, ખરા, નિત્ય આત્માને પ્રિય રહેલે “ન્યાય ” આદરણીય સમજી નીવો નીવર્ય નીવનમ પ્રકારના વૃષ્ટિના કૂર ન્યાયને દૂર રાખે તો તે કેવી રીતે દેષવાન ઠરી શકે છે ?
વિકાસવાદને ચાહ્યાંશ વિકાસવાદી નીતિતમાં ઉપર જણાવી તેવી અપૂર્ણતા હોવા છતાં યુરોપિયન નીતિશાસ્ત્રવિકસનની દૃષ્ટિએ આ વાદના નીતિશાસ્ત્ર પર બે ત્રણ ઉપકાર થયેલા છે એ કબૂલ ન કરવું તે યોગ્ય નથી.
(૧) સમાજ અને વ્યક્તિને વિકાસવાદે જે નિકટ સંબંધ દર્શાવ્યો છે તે મનનીય છે. બુદ્ધિ, નીતિમત્તા અને ભાવના ક્રમે કમે અને આનુવંશિક સંસ્કાર દ્વારા માણસને પ્રાપ્ત થયાં છે. એ આનુવંશિક સંસ્કારમાં પૂર્વજોને અનુભવ એકત્ર થયેલ છે. આપણે જગતમાં એકલા જ હોત તે આપણી બુદ્ધિ કે નીતિને બિલકુલ વિકાસ થયો ન હોત. અથો એને વિચાર કરતાં સમજાય છે કે પૂર્વજોને આપણું પર અનંત ઉપકાર છે, સમાજ અને વ્યક્તિની ઉન્નતિ પરસ્પર અવલંબી રહેલી છે, સમાજહિતમાં શ્રદ્ધા ન રાખવી તે પિતાના જ હિતને ઘાત કર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org