SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ પિશાક છે, આત્મા નથી. એ વસ્ત્રો કે તેને કંઈ ભાગ કાલાનુસાર બદલાય, તે તેથી ધર્મને આત્મા કંઈ દૂષિત બનતે નથી. ઊલટું જ્ઞાનસૂર્યની અધિક સમીપતાથી અને અપૂર્વ તીવ્ર તેજથી ઋતુમાનમાં તથા હવામાં જે પરિવર્તન થાય છે, તેને અનુરૂપ રીતરિવાજના પિશાકમાં ફેરફાર કરવામાં જ ધર્મનું સજીવત્વ, સુજ્ઞત્વ અને હિતકરત્વ – અથવા શ્રીમદ્દ શંકરાચાર્યની ભાષામાં અમ્યુદય-નિશ્રેયસકરત્વ દૃષ્ટિએ પડે છે. ગમે તેમ હે, વ્યવહારમાં આપણે જેને ધર્મ કહીએ છીએ, તેની માન્યતામાં દિનપ્રતિદિન ઊણપ આવતી જાય છે એમાં કંઈ ટું નથી. ધર્મભ્રષ્ટ એવું નિંદાત્મક વિશેષણ કેટલાકને અસર કરી શકતું નથી, એટલું જ નહિ પણ કેટલાક તે અભિમાનપૂર્વક કહે છે કે “અમે ધર્મબર્મ કંઈ સમજતા નથી. હા, જે તેમને અનીતિમાન કહીએ છીએ, તે તે કંઈક તેમને અઠીક લાગે છે. ધર્મ અને નીતિમાં આ ઉદ્ભવેલો ભેદ ઇષ્ટ કે હમેશને માટે છે કે નહિ એ પ્રશ્ન જુદે છે. એટલું નિર્વિવાદ છે કે ભેદ પડે છે. અમુક માણસ લુચ્ચે છે, અમુક પાજી છે, ફલાણાએ એમ કર્યું તે સારું કર્યું. ઢાંકણાએ તેમ કર્યું તે કેવળ નીચતાર્યું છે, મેં આ વાત કરી છે તે બુદ્ધિથી કરી છે, તેણે તે વાત કરી તે ખરાબ ધારણાથી કરી છે, અમુક પરિસ્થિતિમાં વિધવાએ પુનર્લગ્ન કર્યું હોય તે તે ક્ષમ્ય છે. અમુક સંજોગવશાત કર્યું હોય તે તે અક્ષમ્ય છે, એવા એવા પ્રકારનાં આપણે જે વિધાન કરીએ છીએ અને આપણા પિતાને કિંવા અન્યના વર્તનની જે સ્તુતિ કે નિંદા કરીએ છીએ, તેના મૂળમાં કયાં તત્ત્વ હોય છે તેનો વિચાર નીતિશાસ્ત્રમાં થયેલું હોય છે. એ તો ઊડે વિચાર કરવા લાગ્યા પછી પ્રભુ છે કે નહિ. આત્મા નામક કઈ વસ્તુ છે કે નહિ અને હોય તે તેનું સ્વરૂપ શું છે. મનુષ્યને પ્રવૃત્તિ સ્વાતંત્ર્ય છે કે તે સર્વતઃ પ્રકૃતિને અથવા નસીબદેવીને સ્વાધીન છે, સ્વાધીન ઈશ્વર જ્યારે સર્વ કર્તાહર્તા છે ત્યારે માનવ પાપની જવાબદારી પ્રભુ ઉપર જ છે કે શું, વગેરે પ્રશ્ન ઉદ્ભવે છે; અને નીતિશાસ્ત્રને પ્રવાહ છેવટે અધ્યાત્મશાસ્ત્રના અથવા ધર્મશાસ્ત્રના સાગરને જઈ મળે છે. તે પણ નીતિશાસ્ત્ર કોઈ પણ ધર્મગ્રંથને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy