________________
પૂર્વકથન બાલ્યાવસ્થાનો થેડીઘણી ઘેલી સમજને બજાર’ એવી કલ્પના રૂઢ થવા ઈચ્છે છે. કેટલાક આધિભૌતિક શાસ્ત્રોને આશા રહે છે કે, પ્રભુના નામને ઉચ્ચાર કર્યા સિવાય પોતે સર્વ જગતનું કોકડું કાર્યકારણભાવની ચીથી ઉકેલી શકશે. બક, બેસ્ટીઅન વગેરે શાસ્ત્રજ્ઞોએ બાટલીઓમાં વિશિષ્ટ દ્રવ્ય ભરી કૃત્રિમ રીતે છત્પત્તિ કરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ કહે છે કે “અમને
થોડાક વિજય મળે છે. સ્પેન્સર વગેરેના વિકાસવાદ પ્રમાણે મનુષ્ય વાંદરથી, વાંદર મસ્યથી, મત્સ્ય “મોલસ્કથી, “મોલશ્ક' સૂક્ષ્મ જીવજંતુથી, સૂક્ષ્મ જીવજંતુ જડથી, જડ દ્રવથી અને દ્રવ વાયુથી ઉત્પન્ન થયેલ છે એવી પરંપરાને પ્રાદુર્ભાવ થવાથી, એમ જ કહેવાનો વખત આવે છે કે, આપણે સર્વ હનુમાનની માફક એક રીતે વાયુસુત છીએ. અત્યાર સુધી આપણે કહેતા હતા કે, ધમી તરવે નિરુત ગુઢાયામ; પણ ગુફામાં ભરાઈ રહેલાં ગૂઢ ધર્મત પર વિકાસવાદને વિદ્યપ્રકાશ ફેંકી કલ્પનાના કુરબીનથી તેનું નિરીક્ષણ કર્યા પછી ઘણાને લાગવા માંડયું છે કે, ઋષિકુળની માફક ધર્મકુળ વિશેષ સૂક્ષ્મ રીતે જોવા જેવું નથી. એકંદરે કહીએ તે આધુનિક સુસંસ્કૃત માણસના મનમાં સંસારના વિલક્ષણ, ભયંકર ત્રાસજનક પ્રકાર જોઈ જે વિધવિધ પ્રશ્ન ઉત્પન્ન થાય છે, તેને ઉત્તર “ધમ આપી શકતા નથી; ઊલટું
ધર્મ, એટલે શું? તેની યોગ્યતા શી?” એમ કહેવાનું ધાજીર્થ ઘણામાં જણાઈ આવે છે.
જ્યાં એવો જ પ્રશ્ન થાય છે કે, “ધર્મ એટલે શું?” ત્યાં ધર્મમાં અમુક કહ્યું છે અને તમુકનો સંતોષકારક ઉત્તર છે, ” એ કથન લેકેને કેટલે દરજે રચે અથવા પસંદ પડે ? જ્યાં ધર્મ જ અવિશ્વસનીય મનાય, ત્યાં ધર્મની સાક્ષીને શો ઉપયોગ ? જ્યારે હાલમાં ધર્મ સંશયને વિષય થઈ પડયો છે, ત્યારે એ સંશયી ઠરેલા સાક્ષીની જુબાનીને કોણ માન આપે?
આ કથનને અર્થ એ ન કરવો જોઈએ કે, વર્તમાન સમયમાં અધાર્મિકત્વ વધેલું છે. કેટલીક પ્રચલિત રૂઢિની માન્યતા વિષે સંશય ઉત્પન્ન થયેલો છે અને કેટલીક ત્યાજ્ય મનાતી જાય છે, એ ખરે છે; પણ વિશિષ્ટ રીતરિવાજ એ તો ધર્મનાં વસ્ત્ર –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org