________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૪૩ શા માટે માન્ય કરવું તે વિષે એ વાદ કંઈ કહી શકતો નથી. “ હું એકદમ કબૂલ કરું છું કે, સૃષ્ટિ દિનપ્રતિદિન અધિક વિકાસ પામતી જાય છે, અર્થાત સ્વચ્છતાની પસંદગી, આમનિયમન, સ્વાભિમાન વગેરે ગુણની વૃદ્ધિ થતી જાય છે;– અર્થાત એ ગુણનું પાલન થાય તેવો લોકમત તૈયાર થાય છે – પણ છેવટે મારું કહેવું એ છે કે, સૃષ્ટિની ઘડિયાળનાં ચક્ર એ દિશાએ ફરતાં હોય માટે મારે પણ તેમજ ફરવું એ શાસ્ત્ર ક્યાંનું? હું ઊલટી દિશાએ ચાલીશ તે મને જ ત્રાસ થશે એમ મને લાગતું નથી. કારણ કે પૃથ્વીનો પૂર્ણ વિકાસ થયેલો નથી અને એવી અર્ધ વિકસિત અવસ્થામાં મને લાગે છે કે, ચોરી, ચાડી, લુચ્ચાઈ કે વ્યભિચાર કરીશ તો મને વિશેષ સુખ પ્રાપ્ત થશે અને એ સુખોપભોગ લેવા હું ઘણું જીવીશ. હું જાણું છું કે હમેશાં ચોરી વગેરેથી કારભાર ચાલવાને નથી, પરંતુ વચ્ચે વચ્ચે કાયદાના તડાકામાં આવ્યા વિના, કે ન સમજી શકે તેવી રીતે કદી કદી ચોરી કરવાથી લાભ જ થવા જે છે. હમેશાં જ ખોટું બોલું તો મારા કથનની કિંમત રહે નહિ, પણ ખાને ભરવા માટે કિવા બીજા એકાદ એવા જ હેતુથી વચ્ચે વચ્ચે સારો પ્રસંગ જોઈ ખાટું બોલવામાં કંઈ હરકત નથી. જે સમાજમાં ખોટું બોલવાનો રિવાજ સાર્વત્રિક હશે તે સમાજ જીવનકલહમાં ખછો પડશે એ વાત હું જાણું છું. માનવજાતિની ઉન્નતિ કિવા તેને પૂર્ણ વિકાસ થશે એટલે કોઈ બેટું બેલનાર રહેશે નહિ, પ્રયોજન જ નહિ રહે અને તેવી ઇચ્છાય નહિ રહે, એ સર્વ ઘડીભર સ્વીકારી લઉં છું; પરંતુ હાલમાં– હમણાં હું જે અર્ધવિકસિત સમાજસ્થિતિમાં છું તે સ્થિતિમાં મારે કેમ ખોટું બોલવું નહિ? માનવજાતિના પૂર્ણ વિક્સન વચ્ચે અડચણ આવે તે માટે ? કદાચિત અડચણ આવે પણ તેથી મને શું?”
આ વિચાર કરનાર માણસને સમર્પક ઉત્તર આપવાનું બળ સ્પેન્સરના વિકાસવાદમાં નથી. લેસ્લી સ્ટીફને એ દેવ વિના સંકોચે કબૂલ કર્યો છે. ચેરી કરવાથી કાયદાનો ઝપાટ વાગશે વગેરે પ્રકારની ધાક બતાવીને કિંવા લોકો દુખી થાય છે તે તારાથી કેમ જોઈ શકાય છે એમ કરી સાત્ત્વિક મનોવૃત્તિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org